SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ તર્કરહસ્યદીપિકા કરે છે ત્યારે પરભાવની શક્યતા રૂપે માયાને તે સમજાવે છે, અને પરિણામે જગતને સર્જવાની શક્યતારૂપે તે માયાને ઘટાડે છે. પોતાને અતિક્રમી ઉપર ઊઠવાની, પોતાને વિસરી જવાની પણ નિરપેક્ષ અદ્વૈત પરમ તત્ત્વની સ્વતન્નતા તરીકે પણ તે માયાને સમજાવે છે. માયા નિરપેક્ષ અદ્વિતીય પરમ તત્ત્વને તેના પોતાના કાલાતીત અભેદ રૂપમાંથી વિચલિત પણ કરી દે છે. ક્ષણિક આત્મવિસ્મૃતિના કારણે સ્રષ્ટાના પક્ષે થતા અમુક પ્રકારના કેવળ વિચલન યા પતનના કારણે જગત અસ્તિત્વમાં આવે છે. શોપનહોર (ઈ.સ.૧૭૮૮-૧૮૬૦) જેટલા પ્રમાણમાં ભારત તરફ વળવાનો સંકેત આપે છે તેટલા પ્રમાણમાં યુરોપના કોઈ પણ દાર્શનિકે આપ્યો નથી. તેમને લાગતું હતું કે તેમના તત્ત્વજ્ઞાનના મૂળભૂત ખ્યાલો, અર્થાત ઇચ્છારૂપ અને પ્રતિબિંબરૂપ જગતનો સિદ્ધાન્ત, મૂળભૂત પરમાર્થ એકતાનો સિદ્ધાન્ત, વગેરે ભારતીય ચિન્તનમાં મળી શકે. તેમના અનુસાર, “પરાભૌતિક અત્ત પ્રેરણા કાળનો નિર્દેશ કરતી નથી, અને તેનું મૂળભૂત લક્ષ્ય તો સર્વત્ર એક જ છે: દૈશિક અને કાલિક અનેકતાના આવરણને ભેદી નાખવું તેમ જ ભવ અને દુ:ખના ચક્રમાંથી મુક્તિ આપવી. માયાની ભારતીય વિભાવનામાં, ઉપનિષદોના તત્ સ મહાવાક્યમાં અને પુનર્જન્મમુક્ત શાન્તિના અથવા અનુભવનની અવસ્થામાં પુનર્ગમનના – નિર્વાણના બૌદ્ધ અન્તિમ ધ્યેયમાં આ મધ્યવર્તી મુખ્ય વિચારની દૃષ્ટાન્ત આપવા યોગ્ય અભિવ્યક્તિઓ શોપનહોરને મળી. પોતાના વિચારોને દષ્ટાન્ત આપી સમજાવવા માટે તેમજ અભિવ્યક્ત કરવા માટે પણ આ વિભાવનાઓ અને સૂત્રોનો તે વારંવાર ઉપયોગ કરતા. તે માયાની વિભાવનાને principium individuationisના – વ્યક્તિભેદો કરનાર, વ્યક્તિત્વો ઊભા કરનાર તત્ત્વ'ના પોતાના ખ્યાલની સમાન ગણે છે. શોપનહોર અનુસાર વેદાન્તની માયા અને કાન્ટનો આભાસ ('appearance') એક છે. કેટલીય ભારતીય વિભાવનાઓને શોપનહોર પોતાના ઇચ્છા(will)ના સિદ્ધાન્ત સાથે જોડે છે. આ વિભાવનાઓ નીચે પ્રમાણે છે : વૈદિક મસુનો તેમજ ન્યાયવિશેષિક પ્રયત્નનો ખ્યાલ. સભાનપણે કરાતી ક્રિયાઓમાં જ નહિ પરંતુ અભાનપણે થતી શારીરિક કે જૈવિક પ્રક્રિયાઓમાં પણ પોતાને અભિવ્યક્ત કરતી “ઇચ્છા'ના પોતાના ખ્યાલનું સમર્થન શોપનહોર આ બંને ખ્યાલોમાં શોધે છે. રૂપાલાનની, અર્થાત્ જગત પ્રત્યેની આસક્તિ તેમ જ દુન્યવી વિષયો સાથેના તાદાભ્યીકરણની, બૌદ્ધ વિભાવનામાં “જીવન પ્રત્યેની ઈચ્છા”ના પોતાના ખ્યાલ સાથેનું બરાબર એકસરખાપણું તેમને દેખાય છે. જર્મન છે “બુદ્ધિરહિત વૈયક્તિક ઇચ્છા, તે તે ઇચ્છા છે. જે અનુભવગ્રાહ્યરૂપે પ્રતીત થાય છે.” શોપનહોરને દઢ પ્રતીતિ થઈ હતી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy