SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા વળી, ન્યાય અને વૈશેષિક દર્શનો પોતપોતાનાં મન્તવ્યો મુખ્યપણે પ્રત્યક્ષ અને અનુમાનપ્રમાણના આધારે જ ચર્ચે છે અને સ્થાપે છે. તેઓ આગમવિશેષનું પ્રામાણ્ય માનતા હોવા છતાં પોતાનાં મન્તવ્યોની સ્થાપનામાં આગમશાસ્ત્રોનો આધાર લેતા નથી. ભગવાન બુદ્ધનું નખશિખ બુદ્ધિવાદીપણું ખૂબ પ્રસિદ્ધ છે. તે હમેશા પોતાની વાતને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. તેમણે કાલામોને આપેલો ઉપદેશ બહુ જાણીતો છે. તેમણે કહ્યું હતુંઃ ‘હે કાલામો ! મેં આ તમને કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર કેવળ અનુશ્રુત છે માટે ન કરશો, કેવળ નયને ાતર ન કરશો, કેવળ તમારા ધર્મગ્રન્થ પિટકને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ વિતર્કને ખાતર ન કરશો, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેમનો કહેનારો શ્રમણ તમારો પૂજ્ય છે માટે ન કરશો, પરંતુ તમે જો તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એમ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો,'૧ બુદ્ધે પોતાના અનુયાયીઓને પણ દૃઢપણે કહેલું કે : “ડાહ્યા માણસો સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ ગ્રહણ કરે છે. તેવી જ રીતે,હે ભિક્ષુઓ, તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારજો, મારા તરફના આદરના કારણે જ મારાં વચનોને સ્વીકારશો નહિ.’૨ જૈન આચાર્ય હરિભદ્રસૂરિનાં આ વચનો પણ આ સંદર્ભમાં નોંધવા જેવાં છે : “મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ અને બીજાઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેની વાત તર્કસંગત હોય તેની વાત સ્વીકારવી જોઈએ.” વાચસ્પતિ મિશ્ર કહે છે કે ભૂતાર્થપક્ષપાત એ તો બુદ્ધિનો સ્વભાવ છે.‘ વળી, શ્રીધર પણ જણાવે છે કે યથાર્થ જ્ઞાન કરવું એ તો બધી જ બુદ્ધિઓનો કુલધર્મ છે." મીમાંસા અને વેદાન્ત વેદ-ઉપનિષદના આધારે પોતાના મતને સ્થાપે છે એ વાત ખરી પરંતુ ત્યાંય તર્કબદ્ધ રજૂઆત કરવામાં આવે છે. ભારતીય દર્શનમાં મૌલિકતા છે જ. તે સિવાય આટલા ૬૬ ૧. અંગુત્તરનિકાય, ૩. ૨. તાપા છેવાષ્વ નિષાત્ સુવમિવ પšિđ: । પરીક્ષ્ય મિક્ષવો ગ્રાહ્ય મદો ન તુ ગૌરવાર્ / જ્ઞાનસારસમુચ્ચય, ૩૧, 3. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । યુમિદ્રુપનું યમ્ય તસ્ય ાર્ય: પદ્મ: । લોકતત્ત્વનિર્ણય, ૩૮. ૪. ભૂતાર્થપક્ષપાતો ત્તિ બુદ્ધે: સ્વમાવ:। ન્યાયવાર્તિકતાત્પર્યટીકા (ન્યાયદર્શન, લકત્તા, ૧૯૩૬) પૃ.૮૦. ૫ સર્વપિયાં યથાર્થરિ છેવત્વમ્ય નૃતધર્માત્ । ન્યાયકન્દલી, બનારસ, ૧૮૯૫, પૃ.૨૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy