SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ તર્કરહસ્યદીપિકા 458. ‘પ્રમાણ અર્થવત્ હોય છે' એમ તૈયાયિકો કહે છે. અહીં અર્થવની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે – કેમ કે પ્રમાણજ્ઞાનમાં અર્થ સહકારી કારણ હોય છે એટલે પ્રમાણને અર્થવાળું (અર્થવતું) કહેવામાં આવે છે. આ રીતે અર્થકારણતાવાદનો સ્વીકાર કરીને પણ યોગિપ્રત્યક્ષને અતીત અને અનાગત અર્થાત વિનષ્ટ અને અનુત્પન્ન અર્થોને વિષય કરનારું માનવું એમાં સ્પષ્ટતઃ સ્વવચનવિરોધ યા પૂર્વાપર વિરોધ છે. અતીતાદિ અર્થો તો અસત્ હોવાના કારણે યોગિપ્રત્યક્ષની ઉત્પત્તિમાં સહકારી કારણ બની શકતા જ નથી. અર્થકારણતાવાદનો અતીતાદિ અર્થોના જ્ઞાન સાથે સીધો વિરોધ છે. [ ‘અર્થવત્ પ્રમાણમ્' આ વાક્યખંડ વાત્સ્યાયનના ન્યાયભાષ્યના પ્રથમ વાક્યનો છે. આખું વાક્ય આ પ્રમાણે છે –પ્રતિોડWતિપત્તી પ્રવૃત્તિસામથ્થત્વ નું પ્રમાણKI પ્રમાણથી અર્થને જાણ્યા પછી જ્ઞાતા તે અર્થની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે અને જો તે પ્રવૃત્તિ અર્થ પ્રાપ્ત કરાવી આપવા સમર્થ બને અર્થાત્ સફળ થાય તો તે પ્રમાણને અર્થવાળું (અર્થવ) અર્થાત અર્થવિસંવાદી યથાર્થ) જાણવું. આમ અહીં પ્રમાણનું પ્રામાણ્ય કેવી રીતે જ્ઞાત થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર છે. પ્રમાણનું પ્રામાણ્ય (અર્થવત્ત્વઅર્થવિસંવાદીત્વ) પ્રવૃત્તિ સાફલ્ય ઉપરથી અનુમિત થાય છે – પરતઃ જ્ઞાત થાય છે. ‘અર્થવત્ પ્રમાણમ્' નો ખરો અર્થ આ છે.] 459. તથા મૃતિદિતપ્રાફિત્વેન ન પ્રમાધિષ્ય અનર્થનત્વે વા गृहीतग्राहित्वेन स्मृतेरप्रामाण्ये धारावाहिज्ञानानामपि गृहीतग्राहित्वेनाप्रामाण्यप्रसङ्गः । न च धारावाहिज्ञानानामप्रामाण्यं नैयायिकवैशेषिकैः स्वीक्रियते, अनर्थजन्यत्वेन तु स्मृतेरप्रामाण्येऽतीतानागतादिविषयस्यानुमानस्याप्यनर्थजन्यत्वेनाप्रामाण्यं भवेत्, त्रिकालविषयं ते चानुमानं शब्दवदिष्यते, धूमेन हि वर्तमानोऽग्निरनुमीयते मेघोन्नत्या भविष्यन्ती वृष्टिर्नदीपूरेण च सैव भूतेति, तदेवं धारावाहिज्ञानैरनुमानेन च स्मृतेः सादृश्ये सत्यपि यत्स्मृतेरप्रामाण्यं धारावाहिज्ञानादीनां च प्रामाण्यमिष्यते स पूर्वापरविरोधः । 459. અમે આપનૈયાયિકોને પૂછીએ છીએ કે આપમૃતિને પ્રમાણ શા માટે નથી માનતા? શું તે ગૃહીતગ્રાહી છે માટે અર્થાત્ જાણેલા અર્થને જાણે છે માટે કે અર્થજન્ય નથી માટે ? જો ગૃહીતગ્રાહી હોવાના કારણે આપ સ્મૃતિને અપ્રમાણ માનતા હો તો આપે “આ ધડો છે, આ ઘડો છે” એવા ચાક્ષુષ પ્રત્યક્ષોની ધારારૂપ ધારાવાહી જ્ઞાનને પણ અપ્રમાણ માનવું જોઈએ પણ આપ તો તેને પ્રમાણ માનો છો. [ચક્ષુરિન્દ્રિય સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy