SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પપ કુમારિલ પૃથ્વી વગેરે નવ દ્રવ્ય ઉપરાંત અંધકાર અને શબ્દ એ બે દ્રવ્યો પણ માને છે.' પ્રભાકરના મતે મ્યુતિભિન્ન બધાં જ્ઞાનો સદા પ્રમાણ જ છે. જેને બ્રાન્ત જ્ઞાન કહેવામાં આવે છે તે પણ પ્રમાણ જ છે, કારણ કે તેમાં બે જ્ઞાનો છે અને તેમના ભેદનું અગ્રહણ જ કહેવાતા ભ્રાન્ત જ્ઞાનમાં હોય છે. બધાં જ્ઞાનો સદા સ્વતઃ પ્રમાણ છે. કુમારિલ કહે છે કે બધાં જ જ્ઞાનો સ્વતઃ પ્રમાણ છે એ સાચું પરંતુ સદા નહિ પણ જ્યાં સુધી અપ્રમાણ પુરવાર ન થાય ત્યાં સુધી જ. બધાં જ મીમાંસકો જ્ઞાનના અપ્રામાણ્યને પરતઃ માને છે. કુમારિક અનુસાર જ્ઞાન સ્વયંપ્રકાશ નથી. એટલું જ નહિ પણ તે પ્રત્યક્ષગ્રાહ્ય પણ નથી. તે કેવળ અનુમેય છે. ઉદાહરણ તરીકે ઘટનું પ્રત્યક્ષજ્ઞાન લઈએ. આપણને કેવળ ઘટનું જ પ્રત્યક્ષ થાય છે, ઘટજ્ઞાનનું નહિ. ઘટજ્ઞાનને તો આપણે અનુમાનથી જ જાણીએ છીએ. તેની પ્રક્રિયા નીચે મુજબ છે. જયારે હું ઘટનું પ્રત્યક્ષ કરું છું ત્યારે પ્રત્યક્ષજ્ઞાનના કારણે બાહ્ય વસ્તુ ઘટમાં જ્ઞાતતા યા પ્રાકટ્ય નામનો ધર્મ ઉત્પન્ન થાય છે. પહેલાં જે ઘટ અજ્ઞાત હતો તે હવે જ્ઞાત બની જાય છે. ઘટમાં ઉત્પન્ન થયેલા જ્ઞાતતા નામના ધર્મ ઉપરથી “મને ઘટજ્ઞાન થયું છે' એનું અર્થાત્ ઘટજ્ઞાનનું અનુમાન કરવામાં આવે છે. કુમારિલનો મત પ્રભાકર સ્વીકારતા નથી. તે "માને છે કે ઘટરૂપ વિષય સાક્ષાત્ ભાસે છે અને સાથે જ એ પણ સ્વીકારે છે કે જ્ઞાન સ્વયંપ્રકાશ છે. પ્રભાકરના મતે પ્રત્યક્ષજ્ઞાનમાં ત્રણ વસ્તુ ભાસે છે– (૧) જ્ઞાન, (૨) જ્ઞાનનો વિષય અર્થાતુ બાહ્ય વસ્તુ અને (૩) જ્ઞાતા. એટલે આ સિદ્ધાન્તને ‘ત્રિપુટીપ્રત્યક્ષ સિદ્ધાન્ત' તરીકે ઓળખવામાં આવે છે.* પ્રભાકર મીમાંસા અનુસાર પ્રમાણો પાંચ છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થોપત્તિ. પ્રથમ ચાર પ્રમાણોની વ્યાખ્યા ન્યાય અને મીમાંસામાં લગભગ એકસરખી છે. ઉપમાનની બાબતમાં ભિન્નતા છે. મીમાંસાના મતે ઉપમાનનું ફળ (ઉપમિતિ) સંજ્ઞા-સંગ્નિસંબંદ્ધ જ્ઞાન નથી. મીમાંસા અનુસાર ઉપમાનનું સ્વરૂપ નીચે મુજબ છે. જેણે ગાય જોઈ છે તે જંગલમાં જાય છે. તે ગવયને પ્રથમ જુએ છે. તેને જ્ઞાન થાય છે કે આ ગવય તો ગાય સદશ છે. આ છે ગવાયગત ગોસાદેશ્યનું પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ ગાયનું સ્મરણ કરાવી ગોગત ગવયસાદશ્યનું જ્ઞાન કરાવે છે. ગવગત ૧. સ્વત: સર્વપ્રમાનાં પ્રમ[ળ્યતિ અગતમ્ શ્લોકવાર્તિક, સૂત્ર ૨, શ્લોક ૪૭. ૨. શ્લોકવાર્તિક, સૂત્ર ૩, શ્લોક ૮૫. ૩. શાસ્ત્રદીપિકા (ચૌખમ્બા) પૃ. ૧૫૭, ૪. પ્રકરણપંચિકા, પૃ. ૫૫-૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy