SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ તર્કરહસ્યદીપિકા ધ્યાનપૂર્વક તેને સાંભળો– આપના હેતુ અન્વયી હોવાના કારણે સાધ્યના સાધક છે કે વ્યતિરેકી હોવાના કારણે કે અન્વયી તેમ જ વ્યતિરેકી ઉભય હોવાના કારણે ? જો સાધ્ય સાથે દૃષ્ટાન્તમાં રહેતો અન્વયી હેતુ સાધ્યનો સાધક બની જતો હોય તો ‘મિત્રાનો ગર્ભસ્થ પુત્ર શ્યામ છે કેમ કે તે તેનો પુત્ર છે' આ અનુમાનમાં ‘તપુત્રત્વ’ હેતુ પણ સાધ્યનો સાધક(ગમક) બનવો જોઈએ કેમ કે તેના ચાર કાળા પુત્રોમાં તત્પુત્રત્વ અને શ્યામત્વનો અન્વય છે જ. જો કોઈ વ્યતિરેક દૃષ્ટાન્તમાં સાધ્યાભાવે સાધનાભાવરૂપ વ્યતિરેક વ્યાપ્તિથી હેતુ સાધ્યનો સાધક બની જતો હોય તો ગોરા ચિત્રાના પુત્રોમાં શ્યામત્વના અભાવમાં તત્પુત્રત્વનો અભાવ બરાબર દેખાય જ છે, તેથી તત્પુત્રત્વ હેતુ સાધ્યનો ગમક બનવો જોઈએ. જો અન્વય અને વ્યતિરેક બન્ને હોતાં હેતુ સાધ્યનો સાધક બનતો હોય તો તત્પુત્રત્વ હેતુમાં અન્વય અને વ્યતિરેક બન્નેનો સદ્ભાવ હોવાથી તેનાથી સાધ્યની સિદ્ધિ થવી જોઈએ, અર્થાત્ તેનાથી સાધ્યની સિદ્ધિની આપત્તિ આવે. આ તપુત્રત્વ હેતુ પક્ષમાં રહે છે, સપક્ષમાં પણ તેનું સત્ત્વ છે તથા વિપક્ષમાંથી વ્યાવૃત્ત પણ છે – આમ જ્યારે તેનામાં પૂરેપૂરી ત્રિરૂપતા છે ત્યારે તેને હેત્વાભાસ તો આપ (બૌદ્ધ) કહી શકતા નથી. જો ત્રિરૂપતા હોવા છતાં પણ તત્સુત્રત્વને આપ હેત્વાભાસ માનશો તો ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે’ અહીં કૃતકત્વ હેતુને પણ આપે હેત્વાભાસ માનવો જોઈએ. આપની વ્યાખ્યા મુજબ તપુત્રત્વ હેતુમાં પૂરેપૂરી ત્રિરૂપતા છે જ. - • 411. अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरूपे त्रैरूप्येऽविनाभावपरिसमाप्तिः नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति ચેતા 411. નૈયાયિક— તત્પુત્રત્વ હેતુમાં તમે જૈનો જે દોષ બૌદ્ધોને આપો છો તે દોષ અમને નથી લાગતો કારણ કે બૌદ્ધો પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ હેતુનાં ત્રણ રૂપોમાં જ હેતુના અવિનાભાવને સીમિત રાખે છે. એ ત્રણમાં જ તેમનો અવિનાભાવ પૂર્ણ થઈ જાય છે, જ્યારે અમે નૈયાયિકો તો હેતુનાં પાંચ રૂપોમાં હેતુના અવિનાભાવની પૂર્ણતા માનીએ છીએ, તેથી તત્પુત્રત્વ હેતુવાળો દોષ અમારા નૈયાયિકના મતમાં આવી શકતો નથી. અમે નૈયાયિકો તો ઉક્ત ત્રણ રૂપો ઉપરાંત પ્રત્યક્ષ તથા આગમથી બાધિત ન હોવું અર્થાત્ અબાધિતવિષયત્વ અને વિપરીત સાધ્યને સિદ્ધ કરનારા કોઈ પ્રતિપક્ષી હેતુનું ન હોવું અર્થાત્ અસત્પ્રતિપક્ષત્વને પણ હેતુનું સ્વરૂપ માનીએ છે. અમારા નૈયાયિકોના મતમાં હેતુનો અવિનાભાવ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy