SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૦૫ भवेत् । न च जीवादौ वस्तुनि हर्षामर्षौदासीन्यादिपर्यायानुभवः स्खलदूपः, कस्यचिद्बाधकस्याभावात् । 372. તેથી દ્રવ્યદૃષ્ટિએ બધી વસ્તુઓ ધ્રુવ છે, નિત્ય છે, સ્થિર છે પરંતુ પર્યાયદષ્ટિએ જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે, કેમ કે અસ્ખલિત પર્યાયો (પરિવર્તનો) અનુભવમાં આવે છે. અમારો હેતુ સફેદ શંખમાં પીળા રંગના પર્યાયને જાણનાર ભ્રાન્ત પીતશંખજ્ઞાન સાથે વ્યભિચારી નથી, કેમ કે શુક્લશંખમાં પીળા પર્યાયનો અનુભવ તો ભ્રાન્ત છે, બાધિત છે. તેથી અમે હેતુમાં ‘અસ્ખલિત – અબાધિત' વિશેષણ મૂક્યું છે. શુક્લશંખમાં પીળા રંગનો અનુભવ અભ્રાન્ત યા અબાધિત નથી જેથી તે પણ પૂર્વપર્યાયનો વિનાશ, ઉત્તરપર્યાયનો ઉત્પાદ તથા બન્નેમાં પ્રાપ્ત થતી કદી ન તૂટનારી સ્થિતિ આ ત્રિરૂપ પરિણામ સાથે અવિનાભાવસંબંધ ધરાવી શકે. જીવ આદિ વસ્તુઓમાં સુખ, દુ:ખ, ઉદાસીનતા આદિ પર્યાયોના (પરિવર્તનોના) અનુભવને ભ્રાન્ત ન કહી શકાય કેમકે વસ્તુઓનો પ્રતિક્ષણ થતો પરિણામ (પરિવર્તન) સૌના અનુભવમાં આવે છે, તેમાં કોઈ પણ પ્રમાણ બાધક નથી. [જે માણસ અત્યારે ખુશ છે તે જ પછીની ક્ષણે દુઃખી તથા ત્રીજી ક્ષણે વળી પાછો સુખી દેખાય છે. ઘટાદિ પદાર્થોનું પરિવર્તન તો તેઓ નવામાંથી જૂના અને જૂનામાંથી જીર્ણ થતા હોવાથી પ્રત્યક્ષસિદ્ધ જ છે.] > 373. નનૂત્પાાયઃ પરસ્પર મિદ્યત્તે, ન વા । યતિ મિદ્યતે; થમે त्र्यात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्र्यात्मकमिति चेत्; तदयुक्तम्; कथंचिद्भिन्नलक्षणत्वेन तेषां कथंचिद्भेदाभ्युपगमात् । तथाहिउत्पादविनाशध्रौव्याणि स्याद्भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वमसिद्धम्; असत आत्मलाभ उत्पादः, सतः सत्तावियोगो विनाशः, द्रव्यरूपतयानुवर्तनं ध्रौव्यम्, इत्येवमसंकीर्णलक्षणानां तेषां सर्वैः प्रतीतेः । न चामी परस्परानपेक्षत्वेन भिन्ना एव, परस्परानपेक्षाणां खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि - उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्ममवत् । तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्, एवं स्थितिरपि केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात् तद्वदेव, इत्यन्योन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकं त्र्यात्मकम् । 373. શંકા— આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણે પરસ્પર ભિન્ન અર્થાત્ સ્વતન્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy