SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ તર્કરહસ્યદીપિકા સત્ છે પણ મુકુટ આદિના આકારની દૃષ્ટિએ અસત્ છે. ઘડો સાંકડા મોઢાવાળો અને વચ્ચેથી પહોળો એવા આકારવાળો હોવા છતાં ગોળ આકારવાળો છે, તેથી ગોળ આકારની દિષ્ટએ સત્ છે પણ ચપટા આકારની દૃષ્ટિએ અસત્ છે. ગોળ હોવા છતાં પણ ઘડો પોતાના નિયત ગોળ આકારની દૃષ્ટિએ સત્ છે પણ અન્ય ગોળ ઘડાઓના ગોળ આકારોની દૃષ્ટિએ અસત્ છે. પોતાના ગોળ આકારવાળો હોવા છતાં પણ ઘડો પોતાના ઉત્પાદક પરમાણુઓથી બનેલા ગોળ આકારની દૃષ્ટિએ સત્ છે પણ અન્ય પરમાણુઓથી બનેલા ગોળ આકારની દૃષ્ટિએ અસત્ છે. આ પ્રમાણે ઘડાને જે જે પર્યાયથી સત્ કહીશું તે પર્યાયો ઘડાના સ્વપર્યાયો કહેવાશે તથા જે અન્ય પદાર્થોથી તે વ્યાવૃત્ત થશે તે બધા પરપર્યાયો કહેવાશે. આમ ઘડાના દ્રવ્યદૃષ્ટિએ સ્વપર્યાયો અને પરપર્યાયો દર્શાવ્યા, સ્વપર્યાયો ૫૨૫ર્યાયોથી ઓછા છે,૫૨૫ર્યાયો વ્યાવૃત્તિરૂપ હોવાથી અનન્ત છે, ઘડાના ૫૨૫ર્યાયો અનન્ત છે કેમ કે ઘડો અનન્ત દ્રવ્યોથી વ્યાવૃત્ત થાય છે. I 332. क्षेत्रतश्च स त्रिलोकीवर्तित्वेन विवक्षितो न कुतोऽपि व्यावर्तते । ततः स्वपयोऽस्ति न परपर्यायः । त्रिलोकीवर्त्यपि स तिर्यग्लोकवर्तित्वेनास्ति न पुनरूर्ध्वाधोलोकवर्तित्वेन । तिर्यग्लोकवर्त्यपि स जम्बुद्वीपवतित्वेनास्ति न पुनरपरद्वीपादिवर्तितया । सोऽपि भरतवर्तित्वेनास्ति न पुनर्विदेहवर्तित्वादिना । भरतेऽपि स पाटलिपुत्रवर्तित्वेनास्ति न पुनरन्यस्थानीयत्वेन । पाटलिपुत्रेऽपि देवदत्तगृहवर्तित्वेनास्ति न पुनरपरथा । गृहेऽपि गृहैकदेशस्थतयास्ति न पुनरन्यदेशादितया । गृहैकदेशेऽपि स येष्वाकाशप्रदेशेष्वस्ति तत्स्थिततयास्ति न पुनरन्यप्रदेशस्थतया । एवं यथासंभवमपरप्रकारेणापि वाच्यम् । तदेवं क्षेत्रतः स्वपर्यायाः स्तोकाः परपर्यायास्त्वसंख्येयाः, लोकस्यासंख्येयप्रदेशत्वेन । अथवा मनुष्यलोकस्थितस्य घटस्य तदपरस्थानस्थितद्रव्येभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परपर्याया: । एवं देवदत्तगृहादिवर्तिनोऽपि । ततः परपर्याया अनन्ताः । * 332. ક્ષેત્રની દૃષ્ટિએ જ્યારે ઘડાનો ત્રણ લોકમાં રહેનારના રૂપમાં વ્યાપક ક્ષેત્રદૃષ્ટિએ વિચાર કરીએ છીએ ત્યારે તે કશાથી વ્યાવૃત્ત થતો નથી, તેથી ત્રિલોકરૂપ વ્યાપક ક્ષેત્રની દૃષ્ટિએ ઘડાનો સ્વપર્યાય તો હોય છે પણ પરપર્યાય હોતો નથી. [જો કે અલોકાકાશમાં ઘડો રહેતો ન હોવાથી અલોકાકાશને પરપર્યાય કહી શકાય પરંતુ અલોકમાં ઘડો કદી રહી શકતો નથી. તે સર્વદા લોકમાં જ રહે છે, તેથી તે રૂપે પરપર્યાયની વિવક્ષા કરી નથી. જો વિવક્ષા કરવામાં આવે તો પછી ‘ઘડો આકાશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy