SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ તર્કરહસ્યદીપિકા કારણે તેઓ દેખાતા નથી. તેવી જ રીતે પોતાના જ કાન, ડોક અને માથાનો પાછળનો ભાગ આડ આવી જવાથી આપણને દેખાતો નથી. ચન્દ્રનો પાછલો ભાગ પણ આગળના ભાગથી વ્યવહિત થઈ જતો હોવાથી આપણને દેખાતો નથી. 195. જ્ઞાનાવર/વ્યાનુપત્નષ્યિઃ યથા પતિનાાત્સિતામપિ શાત્રसूक्ष्म्यार्थविशेषाणामनुपलब्धिः, सतोऽपि वा जलधिजलपलप्रमाणस्यानुपलब्धिः, विस्मृतेर्वा पूर्वोपलब्धस्य वस्तुनोऽनुपलब्धिः, मोहात् सतामपि तत्त्वानां जीवादीनामनुपलब्धिरित्यादि । 195. જ્ઞાનાવરણ કર્મનો ઉદય થવાથી બુદ્ધિની મંદતા થતાં શાસ્ત્રના ગહન અર્થોને આપણે જાણી શકતા નથી, સમજી શકતા નથી. સમુદ્રનું પાણી અમુક ચોક્કસ સંખ્યાની રતીઓનું પ્રમાણ ધરાવે છે જ પણ આપણે તેને જાણી શકતા નથી. વિસ્મરણના કારણે ભૂલી જવાથી પહેલાં જાણેલા પદાર્થોનું સ્મરણજ્ઞાન આપણને થતું નથી. મિથ્યાત્વ યા મોહના કારણે જીવ આદિ તત્ત્વો અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં તેમનું જ્ઞાન આપણને થતું નથી. એટલે આ બધાંનું જ્ઞાન (ઉપલબ્ધિ) થતું ન હોવાથી તેમનું અસ્તિત્વ નથી એમ ન કહેવાય. તેમની અનુપલબ્ધિ તો આવરણને કારણે છે, તેમના અભાવના કારણે નથી. 196. તથfમવાનું, સૂર્યાજિતેગાપૂિતાન પ્રક્ષar નોપત્રभ्यन्ते, तत्कथं तेषामभावः । किंतु तानि सन्त्येव, पुनरभिभवान्न दृश्यन्ते। एवमन्धकारेऽपि घटादयो नोपलभ्यन्ते । 196. અભિભવના કારણે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ થાય છે. સૂર્ય આદિ અધિક તેજવાળા પદાર્થોના પ્રખર તેજથી ઓછા તેજવાળા ગ્રહ, નક્ષત્ર આદિ અભિભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, તેમનો પ્રકાશ તિરસ્કૃત થઈ જાય છે, સૂર્યના પ્રકાશથી દબાઈ જાય છે. તેથી દિવસે તેઓ દેખાતા નથી, તો શું દિવસે તેમનું અસ્તિત્વ નથી? દિવસે પણ ગ્રહ, નક્ષત્ર આદિ બરાબર અસ્તિત્વ ધરાવે જ છે પણ સૂર્યના પ્રખર તાપથી અભિભૂત થયેલા તે દેખાતા નથી. આ જ રીતે અન્ધકારથી અભિભૂત થયેલા ઘટ વગેરે રાતે દેખાતા નથી. 197. સમાનામદારી ત્ર યથા પુરાણો મુદ્દામુષ્ટિઃ નિરાશ तिलमुष्टिा क्षिप्ता सती सूपलक्षितापि नोपलभ्यते, जले क्षिप्तानि लवणादीनि वा नोपलभ्यन्ते । तत्कथं तेषामभावः । तानि सन्त्येव, पुनः समानाभिहारान्नोपलब्धिः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy