SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૩૯ જેમ અચેતન આત્મા ચેતનાના સમવાયથી ચેતન બની જાય છે અને જગતના પદાર્થોને જાણનારો જ્ઞાતા કહેવાય છે તેમ અચેતન ઘટ પણ ચેતનાના સમવાયથી ચેતન બનીને જ્ઞાતા કહેવડાવવા લાગશે. ‘આત્મામાં જ જ્ઞાનનો સમવાય છે, ઘટાદિમાં નથી’ આ નિયમ તો ત્યારે જ બની શકે જો આત્માને જ્ઞાનસ્વભાવ માનવામાં આવે. આ વિષયને કંઈક વિસ્તારથી ચર્ચવો હતો પરંતુ ગ્રન્થનું કદ વધી જવાનો ડર લાગે છે એટલે આટલું જ પૂરતું છે. આમ આત્માને પદાર્થોને જાણવાવાળો માનવો હોય તો તેને જ્ઞાનસ્વભાવવાળો જ માનવો જોઈએ. પદાર્થોને જાણવાવાળા આત્માની જ્ઞાનસ્વભાવતાનો તો ઢોલ પીટવો જોઈએ. વિના જ્ઞાનસ્વભાવ તે પદાર્થોને જાણનારો બની શકતો જ નથી. આટલા વિવેચનથી એ નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે કે આત્મા સ્વતન્ત્ર તત્ત્વ છે તથા તે જ્ઞાનસ્વભાવ છે. 143. जीवश्च पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदान्न વૈવિદ્યઃ । - 143. [જીવના મુખ્ય બે ભેદ છે – સંસારી અને મુક્ત.] સંસારી જીવના નવ ભેદ છે – પૃથ્વી (પૃથ્વીકાય), જલ(જલકાય), અગ્નિ (અગ્નિકાય), વાયુ (વાયુકાય), વનસ્પતિ (વનસ્પતિકાય), દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. [પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોને એક જ ઇન્દ્રિય હોય છે અને તે ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય જ હોય છે, બીજી કોઈ નહિ. તેથી આ પાંચ પ્રકારના જીવોને એકેન્દ્રિય જીવો કહે છે. દ્વીન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ જ બે ઇન્દ્રિયો હોય છે. ત્રીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને પ્રાણ આ જ ત્રણ ઇન્દ્રિયો હોય છે; ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ આ જ ચાર ઇન્દ્રિયો હોય છે અને પંચેન્દ્રિય જીવોને ઉપર કહેલી ચાર અને પાંચમી શ્રોત્રેન્દ્રિય એમ પાંચે ઇન્દ્રિયો હોય છે. કૃમિ, શંખ, શુક્તિ, લૂકા આદિ દ્વીન્દ્રિય જીવો છે. કીડી, કુંથુ, કાનખજૂરો, ઉધઈ આદિ ત્રીન્દ્રિય જીવો છે. ભ્રમર, મક્ષિકા, ડાંસ, વીંછી, કરોળિયો આદિ ચતુરિન્દ્રિય જીવો છે. માછલી, ઉરગ, ભુજગ, પશુ, પક્ષી આદિ તિર્યંચો અને બધા મનુષ્યો, દેવો તથા નારકો પંચેન્દ્રિય જીવો છે. વળી, એકેન્દ્રિય જીવો સ્થાવર છે જ્યારે બાકીના જીવો ત્રસ છે.] 144. ननु भवतु जीवलक्षणोपेतत्वाद्द्द्वीन्दियादीनां जीवत्वं पृथिव्यादीनां तु जीवत्वं कथं श्रद्धेयं व्यक्ततल्लिङ्गस्यानुपलब्धेरिति चेत् ? सत्यम्; यद्यपि तेषु व्यक्तं जीवलिङ्गं नोपलभ्यते, तथाप्यव्यक्तं तत्समुपलभ्यत एव। यथा हृत्पूरव्यतिमिश्रमदिरापानादिभिर्मूच्छितानां व्यक्तलिङ्गाभावेऽपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy