SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ૩૩૩ કે “જેનો નિષેધ કરાય છે તે સામાન્યરૂપે ક્યાંક ને ક્યાંક હોય છે જ.” અમે એ તો કહેતા જ નથી કે “જેનો જયાં નિષેધ કરવામાં આવે છે તેનું ત્યાં અસ્તિત્વ હોય છે'. જો અમે આવો નિયમ કર્યો હોત તો તેમાં અવશ્ય દૂષણ આવે. તેથી સામાન્યપણે ક્યાંક ને ક્યાંક વિદ્યમાન જીવનો કોઈ વિશેષ શરીર આદિમાં નિષેધ કરવામાં આવે છે પણ સર્વત્ર નિષેધ કરવામાં આવતો નથી. આમ જીવનો નિષેધ જ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. 135. તથતિ તેિિરિ માત્મા પિપિ તદુપથાर्थानुस्मरणात्, पञ्चवातायनोपलब्धार्थानुस्मर्तृदेवदत्तवत्, इति सिद्धमनुमानग्राह्य आत्मेति । 135. (૧૧) શરીર અને ઇન્દ્રિયથી અતિરિક્ત આત્મા છે કેમ કે ઇન્દ્રિયોનો વ્યાપાર અટકી જાય છે કે ઇન્દ્રિયનો નાશ થઈ જાય છે ત્યારે પણ પહેલાં ઇન્દ્રિયો દ્વારા જાણેલા પદાર્થોનું સ્મરણ થાય છે. જેમ દેવદત્તને મકાનની પાંચ બારીઓમાંથી જોયેલા પદાર્થોનું બારીઓ બંધ કરી દીધા પછી બરાબર સ્મરણ થાય છે તેવી રીતે જ્ઞાનની આ ઇન્દ્રિયોરૂપી બારીઓ બંધ થઈ જવા છતાં પૂર્વે તે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાત પદાર્થોનું સ્મરણ કરનારો કોઈ આત્મા છે જ જે આ ઇન્દ્રિયોરૂપી બારીઓથી અતિરિક્ત સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ આત્મા અનુમાનગ્રાહ્ય છે એ સાબિત થયું. 136. મનુમાનાિવે દિ સિદ્ધ તર્પીતત્વેનાપોપમનાથપત્તિग्राह्यतापि सिद्धा। 136. આ પ્રમાણે ઉપર આપેલાં અનુમાન વડે આત્માની સિદ્ધિ સારી રીતે કરી દીધી હોઈ આગમ, ઉપમાન અને અર્થપત્તિ દ્વારા પણ આત્માની સિદ્ધિ માની લેવી જોઈએ કેમ કે આગમ આદિ એક રીતે તો અનુમાનના જ પ્રકારો છે. વૈિશેષિકો અને બૌદ્ધો તે બધાંનો અનુમાનમાં જ સમાવેશ કરે છે.] 137. શિવ, “પ્રHTTIઝુમાર' રૂત્યાદ્રિ વ્યવાદ્રિ, તપ मदिराप्रमादिविलसितसोदरम्; यतो हिमवत्पलपरिमाणादीनां पिशाचादीनां च प्रमाणपञ्चकाभावेऽपि विद्यमानत्वादिति, अतो यत्र प्रमाणपञ्चकाभावस्तदसदेवेत्यनैकान्तिकम् इति सिद्धः प्रत्यक्षादिप्रमाणग्राह्य आत्मा । 137. તમે ચાવકોએ પહેલાં આત્માને પાંચ પ્રમાણોનો અવિષય કહીને અભાવપ્રમાણનો વિષય દર્શાવ્યો છે. તે તમારી વાત તો મદિરાના નશામાં ચકચૂર શરાબીની વાત જેવી છે. હિમાલયનું વજન કેટલી રહી છે, પિશાચનો આકાર કેવો છે, તેમને આપણા પાંચે પ્રમાણો ગ્રહણ કરતા નથી, જાણતા નથી તેમ છતાં વિદ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy