SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૩૧ दिप्रतिषेधानां पञ्चमोऽपि प्रतिषेधप्रकारोऽस्ति त्वयैव निषिध्यमानत्वात् । _131. અહીં કોઈ શંકા કરે છે– જો જેનો નિષેધ કરાતો હોય તેનું અસ્તિત્વ અવશ્ય હોય જ તો તમે જૈનો મને ત્રણ લોકનો ઈશ્વર નથી માનતા અર્થાત્ મારી ત્રિલોકેશ્વરતાનો નિષેધ કરો છો એટલે મારી ત્રિલોકેશ્વરતાનો પણ સદૂભાવ હોવો જોઈએ. તેવી જ રીતે તમે જૈનોએ તમારા નિષેધના પ્રકરણમાં સંયોગ આદિ નિષેધના ચાર પ્રકારોથી અતિરિક્ત પાંચમ પ્રકારનો નિષેધ કર્યો છે, એટલે નિષેધના પાંચમા પ્રકારનું અસ્તિત્વ હોવું જોઈએ. 132. તયુમ, ત્રિસ્નોક્રેશ્વરતાવિશેષમાત્ર મવતિ નિષિ યથા વદप्रमाणत्वं मुक्तानां न तु सर्वथेश्वरता, स्वशिष्यादीश्वरतायास्तवापि विद्यमानत्वात् । तथा प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमविद्यमानमेव निवार्यते न तु सर्वथा प्रतिषेधस्याभावचतुःसंख्याविशिष्टस्य सद्भावात् । 132. જૈનોનો ઉત્તર– આ શંકા યોગ્ય નથી. જેમ મોતીમાં ઘટના પરિમાણનો નિષેધ કરાય છે તેમ ત્રિલોકેશ્વરતા નામના વિશેષ ધર્મનો, જે વિશેષ ધર્મ તીર્થંકરમાં પ્રસિદ્ધ છે તેનો, તમારામાં નિષેધ કરાય છે, ત્રિલોકેશ્વરતાનો સર્વથા નિષેધ કરાતો નથી. તમારી પ્રભુતા પણ તમારા શિષ્યો પર છે જ, તેનો કોઈ સર્વથા નિષેધ કરતું નથી. તેવી જ રીતે નિષેધના પ્રકારોમાં પાંચની સંખ્યાનો નિષેધ કરાય છે, નિષેધના પ્રકારોનો અભાવ કરાતો નથી. નિષેધના ચાર પ્રકારો તો છે જ, તેમનામાં પાંચમો પ્રકાર નથી એટલો જ અર્થ નિષેધનો છે. નિષેધ પણ છે અને પાંચની સંખ્યા પણ છે પરંતુ નિષેધ અને પાંચની સંખ્યા બન્નેનો પરસ્પર વિશેષણવિશેષ્યભાવ નથી. i33. નનું સર્વમધ્યસંવર્ધ્વમિદમ્ ! તથતિ–ત્રિનોશ્વરત્વે વિદ્રसदेव निषिध्यते, प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमप्यविद्यमानमेव निवार्यते । तथा संयोगसमवायसामान्यविशेषाणामपि गृहदेवदत्तखरविषाणादिष्वसतामेव प्रतिषेध इति । अतो यन्निषिध्यते तदस्त्येवेत्येतत्कथं न प्लवत इति । 133. શંકા- તમારી જૈનોની ઉપર કહેલી બધી વાતો અસંગત છે. મારી ત્રિલોકેશ્વરતાનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી, તે સર્વથા અસત્ છે છતાં તેનો નિષેધ કરાય છે. નિષેધના ચાર પ્રકારની બાબતમાં પણ નિષેધનો પાંચમો પ્રકાર ક્યાંય પણ નથી, તે પણ સર્વથા અસત્ છે. આમ નિષેધનું પંચસંખ્યાવિશિષ્ટત્વ સર્વથા અસત્ છે અને છતાં તેનો નિષેધ કરાય છે. તેથી જ્યારે આ સર્વથા અસત્ પદાર્થોનો નિષેધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy