SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ તર્કરહસ્યદીપિકા આચરણ ઘટે નહિ. નિષ્કર્ષ એ કે કોઈ પણ પ્રમાણ મળતું નથી જે મહેશ્વરને જગક્ત સિદ્ધ કરે. | નૈિયાયિકોના ઈશ્વરવાદનું ખંડન કરનારા કોઈપણ દાર્શનિક ચિન્તકે એક મહત્ત્વના મુદ્દાના આધારે ખંડન કર્યું નથી. ખરેખર તો સૌપ્રથમ એ દર્શાવવું જોઈએ કે ઈશ્વરની જગકર્તા અને નિયમુક્ત તરીકેની તૈયાયિકોની માન્યતા મૌલિક નથી પરંતુ આગન્તુક (advetitious) છે, પાછળથી ન્યાયદર્શનમાં દાખલ કરવામાં આવી છે. ન્યાયસૂત્રકાર અક્ષપાદ અને ન્યાયભાષ્યકાર વાસ્યાયન આવા ઈશ્વરને માનતા નથી. તેમની ઈશ્વરની વિભાવના તદન ભિન્ન છે. તે કેવી છે એ નીચે વિસ્તારથી સમજાવીએ છીએ. ન્યાયસૂત્રકાર ગૌતમ(અક્ષપાદ)ના મતે ઈશ્વર' નો અર્થ શું છે? ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે અને તે પણ પ્રાવાદુકોની ચર્ચાના પ્રકરણમાં જ છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશઃ સમજતાં ગૌતમની ઈશ્વર વિશેની માન્યતા તદન સ્પષ્ટ થઈ જશે. કર: RG પુરુષ દ ર્શન (ા ૪.૨.૨૫. અનુવાદઃ પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે. સમજૂતીઃ ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત કરે છે. આ બધું આપણાં કર્મોનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઇચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વનીયતી છેવત્રનીશ્વરેચ્છા ન, પુરુષમાવે તનિષ્પઃ ૪.૨.૨૦. અનુવાદઃ ના, [ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી. સમજૂતી ઉપર નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર ફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy