SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા महेश्वरवत्सदा सत्त्वात्कथं कार्यत्वम् । तदन्तर्गततरुणतृणादीनां कार्यत्वात्तस्यापि कार्यत्वे महेश्वरान्तर्गतानां बुद्ध्यादीनां परमाण्वाद्यन्तर्गतानां पाकजरूपादीनां च कार्यत्वात्, महेश्वरादेरपि कार्यत्वानुषङ्गः । तथा चास्याप्यपरबुद्धिमद्धेतुकत्वकल्पनायामनवस्थापसिद्धान्तश्चानुषज्यते । ૨૩૮ 24. વળી જગતમાં કાર્ય તો તે વસ્તુને કહેવામાં આવે છે જે ક્યારેક ઉત્પન્ન થઈ હોય છે. પરંતુ આ જગત તો ઈશ્વરની જેમ સદા સત્ છે અર્થાત્ અનાદિ છે, તેની ઉત્પત્તિ થઈ જ નથી, તેમ જ તે અનન્ત છે, તેનો નાશ પણ નથી. તો પછી ઈશ્વરને તેનો કર્તા કેવી રીતે મનાય ? નૈયાયિક – [એ સાચું કે સામાન્યપણે પ્રવાહની દૃષ્ટિએ આ આખેઆખું જગત અનાદિ કહેવાય છે અને આ અખંડ બ્રહ્માંડ છે પણ અનાદિ.] પરંતુ જગતની અંદર રહેનાર તરુણ, તૃણ આદિનો વિશેષરૂપે વિચાર કરતાં એ બધાં સાદિ અને કાર્યરૂપ છે. [જગતના વિશેષ રૂપને જુઓ. એક જન્મે છે તો બીજો મરે છે. એક અંકુર ફુટે છે તો બીજું કરમાઈ રહ્યું છે. જે તરુણ છે તે ઘરડો થઈ રહ્યો છે. આમ આ વિશેષ દૃષ્ટિએ આ જગતને કાર્ય પણ કહેવાય. છેવટે આ બધાં અગણિત કાર્યોના સમુદાય સિવાય જગત બીજું શું છે ? એટલે જગત કાર્ય પણ છે અને ઈશ્વર તેનો સર્જક છે.]. જૈન ~ ‘આખેઆખું જગત પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે, છતાં તેની અંદર રહેલી વસ્તુઓ નિત્ય નવાં નવાં રૂપો ધારણ કરે છે એટલે તે રૂપોની દૃષ્ટિએ જગત સાદિ છે તથા કાર્ય છે આપ તૈયાયિકે આપેલી આ યુક્તિ અનુસાર તો સ્વયં મહેશ્વર તથા પરમાણુ આદિ નિત્ય પદાર્થ પણ કાર્યરૂપ જ સિદ્ધ થાય છે. અમે કહી શકીએ છીએ - કે - ‘જો કે મહેશ્વર ઉત્પન્ન થતા નથી અર્થાત્ અનાદિ છે છતાં મહેશ્વરમાં રહેનારા - બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો તો સદા ઉત્પન્ન થતા રહે છે તથા નાશ પામતા રહે છે. તેવી જ રીતે જો કે પરમાણુ ઉત્પન્ન થતો નથી અર્થાત્ અનાદિ છે છતાં અગ્નિના સંયોગથી તેના શ્યામ રંગનું લાલ રંગમાં પરિવર્તન થાય છે જ. તેથી આમ મહેશ્વર પણ જ્યારે કાર્ય બની ગયા ત્યારે તેમને બનાવવા માટે કોઈ બીજા ઈશ્વરની અપેક્ષા રહેશે, બીજા ઈશ્વરને બનાવવા ત્રીજા ઈશ્વરની અને આ પ્રમાણે તો અનવસ્થા જ થશે. વળી, આપ નૈયાયિકોના શાસ્ત્રમાં તો પરમાણુ તથા મહેશ્વરને નિત્ય દ્રવ્યો જ માનેલા છે, પરંતુ તેઓ આપની જ યુક્તિથી કાર્યરૂપ સિદ્ધ થઈ જાય છે. આમ આપના જ સિદ્ધાન્ત વિરુદ્ધ આપનું કથન હોવાથી આપને અપસિદ્ધાન્તનો (સિદ્ધાન્તવિરુદ્ધ સ્વીકારનો) દોષ લાગે છે. 25. अस्तु वा यथाकथंचिज्जगतः कार्यत्वं, तथापि कार्यत्वमात्रमिह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy