SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ જૈનમત 18. જૈન -- ઉપર કહેવામાં આવેલી ઈશ્વરના જગત્કર્તુત્વની સાધક દલીલોનું ખંડન કરવામાં આવે છે. આપે પૃથ્વી આદિને બુદ્ધિમાન ઈશ્વરરચિત સિદ્ધ કરવા માટે કાર્યત્વ હેતુનો પ્રયોગ કર્યો છે. એટલે સૌપ્રથમ તો તે કાર્યની એવી સુનિશ્ચિત પરિભાષા દર્શાવા કે જે પરિભાષાથી એ નિશ્ચય કરી શકાય કે જગતમાં અમુક પદાર્થો કાર્ય છે તથા અમુક પદાર્થો અકાર્ય છે.] (૧) શું જે પદાર્થ અવયવોવાળો હોય તેને કાર્ય કહેવાય ? (૨) અથવા, પહેલાં જે પદાર્થ અસતું હોય પણ પછી સત્તા સાથે સમવાયસંબંધ થવાથી અને પોતાનાં કારણો સાથે સમવાય અર્થાત વિશિષ્ટ સંબંધ ધરાવવાથી “સત્' કહેવાય છે, શું તે કાર્ય છે? (૩) અથવા, જેને જોતાં જ ‘કૃતમ્' (બનાવાયું છે) એવી બુદ્ધિ ઉત્પન્ન થાય, શું તે કાર્ય છે? (૪) અથવા શું જેમાં વિકાર થાય તે વિકારી પદાર્થ કાર્ય છે? 19. યતિ સાવ વત્વ, તલમ વિમવધુ વર્તમાનન્દ ૨, અવયવૈरारभ्यमाणत्वं २, प्रदेशवत्त्वं ३, सावयवमितिबद्धिविषयत्वं ४ वा । तत्राद्यपक्षेऽवयवसामान्येनानैकान्तिकोऽयं हेतुः, तद्धयवयवेषु वर्तमानमपि निरवयवमकार्यं च प्रोच्यते । द्वितीयपक्षे तु साध्यसमो हेतुः, यथैव हि क्षित्यादेः कार्यत्वं साध्यं, एवं परमाण्वाद्यवयवारभ्यत्वमपि । तृतीयोऽध्याकाशेनानैकान्तिकः, तस्य प्रदेशवत्त्वेऽप्यकार्यत्वात् । प्रसाधयिष्यते चाग्रतोऽस्य प्रदेशवत्त्वम् । चतुर्थकक्षायामपि तेनैवानेकान्तो न चास्य निरवयवत्वं, व्यापित्वविरोधात्परमाणुवत् १ । 19. જો સાવયવ અર્થાત અવયવોવાળા પદાર્થને કાર્ય માનતા હો તો તમારે જણાવવું જોઈએ કે તમે સાવયવ કોને કહો છો? શું જે પદાર્થ અવયવોમાં રહેતો હોય તે સાવયવ છે, કે જે અવયવોના સંયોગથી ઉત્પન્ન થયો છે તે સાવયવ છે, કે જે અવયવોવાળો અર્થાત્ પ્રદેશોવાળો છે તે સાવયવ, કે પછી જેના વિશે “આ અવયવોવાળો છે' એવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે સાવયવ? જો અવયવોમાં જે પદાર્થ રહેતો હોય તે સાવયવ હોય અને સાવયવ હોવાથી કાર્ય હોય તો અવયવોમાં રહેતા અવયવત્વને આ લક્ષણ લાગુ પડી જવાથી વ્યભિચારી બની જશે. [તે વ્યભિચારી શા કારણે બની જાય એ સમજાવીએ છીએ. “આ અવયવ છે, આ અવયવ છે' એવી એકાકાર અનુગત બુદ્ધિ દ્વારા જેનું જ્ઞાન થાય છે તે અવયવત્વ નામની જાતિ આપ નૈયાયિકોના મતે નિત્ય છે અને તેથી જ કાર્યરૂપ નથી પરંતુ અવયવત્વ જાતિ અવયવોમાં રહે છે અવશ્ય. આમ વિપક્ષભૂત નિત્ય અકાર્ય અવયવત્વ જાતિમાં પણ કાર્યનું આ લક્ષણ જતું હોવાથી વ્યભિચારી છે, અનૈકાન્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy