SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ તર્કરહસ્યદીપિકા સાદિમુક્ત જીવોથી વિલક્ષણ છે. તે અનાદિમુક્ત છે, નિત્યમુક્ત છે, પરંતુ શિષ્ટાનુગ્રહ તથા દુષ્ટનિગ્રહ માટે તે અવતાર લે છે એ તો તેની લીલા છે. કેવળ અવતાર લેવાની લીલા દેખાડતો હોવાના કારણે તેને કર્મથી લિપ્ત કહેવો ન જોઈએ. તેથી સૃષ્ટિકર્તા ઈશ્વરને દેવ માનવો જોઈએ.] જૈન– ઈશ્વરને જગતના કર્તા સિદ્ધ કરનારું કોઈ પણ પ્રમાણ નથી, તો પછી ઈશ્વરને દેવ કેવી રીતે મનાય ? નૈયાયિક – ઈશ્વરને જગતના કર્તા સિદ્ધ કરનાર પ્રમાણ છે જ. તે પ્રમાણ અનુમાન છે જે આ પ્રમાણે છે – પૃથ્વી આદિ કોઈ બુદ્ધિમાન બનાવ્યાં છે કેમ કે તે બધાં કાર્ય છે, જેમ કે ઘડો. [ઘડો કાર્ય છે અને તેથી તેને બુદ્ધિમાન કુંભારે બનાવ્યો છે. તેવી જ રીતે જગતની પૃથ્વી, પર્વત વગેરે બધી જ વસ્તુઓ કાર્ય છે અને તેથી તેમને કોઈ બુદ્ધિમાને જ બનાવી હોવી જોઈએ. આ બુદ્ધિમાન જ ઈશ્વર છે.] પૃથ્વી આદિ બધા પદાર્થો સાવયવ હોવાથી કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. જેમને અવયવો હોય છે તે બધા કાર્યો હોય છે. પૃથ્વી, પર્વત, વૃક્ષ વગેરે બધા પદાર્થો કાર્ય છે કેમ કે તેઓ સાવયવ છે, જેમ કે ઘડો. તેથી પૃથ્વી આદિરૂપ પક્ષમાં કાર્યત્વ હેતુનું સત્ત્વ હોવાથી તે કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી. વળી, જે પદાર્થોનો કર્તા નિશ્ચિત છે એવા ઘટાદિરૂપ સપક્ષમાં કાર્યત્વ હેતુ રહેતો દેખાય છે, તેથી તે કાર્યત્વ હેતુ વિરુદ્ધ પણ નથી. ઉપરાંત, જેમને ઉત્પન્ન કરનારો કર્તા નિશ્ચિતપણે નથી એવા નિત્ય આકાશારિરૂપવિપક્ષમાં કાર્યત્વ હેતુ રહેતો જ નથી, તેથી તે કાર્યવહેતુ અનૈકાન્તિક પણ નથી. વળી કાર્યવહેતુ પ્રત્યક્ષ તથા આગમથી પક્ષમાં બાધિત થતો નથી. તેથી તે કાર્યહેતુ કાલાત્યયાદિષ્ટ પણ નથી. 11. ર વચ્ચે પત્રષ્ટિન્દષ્ટ સર્વજ્ઞાત્વાસાતત્વજત્વાદિधर्मानुरोधेन सर्वज्ञादिविशेषणविशिष्टसाध्यविपर्ययसाधनाद्विरुद्धो हेतुर्दृष्टान्तश्च साध्यविकलो घटादौ तथाभूतबुद्धिमतोऽभावाद् इति । यतः साध्यसाधनयोर्विशेषेण व्याप्तौ गृह्यमाणायां सकलानुमानोच्छेदप्रसक्तिः, किन्तु सामान्येनान्वयव्यतिरेकाभ्यां हि व्याप्तिरवधार्यते । तौ चानन्त्याव्यभिचाराच्च विशेषेषु गृहीतुं न शक्यौ । तेन बुद्धिमत्पूर्वकत्वमात्रेण कार्यत्वस्य व्याप्तिः प्रत्येतव्या, न शरीरित्वादिना । न खलु कर्तृत्वसामग्यां शरीरमुपयुज्यते, तद्व्यतिरेकेणापि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन स्वशरीरकरणे कर्तृत्वोपलम्भात् । अकिंचित्करस्यापि सहचरत्वमात्रेण कारणत्वे वह्निपैङ्गल्यस्यापि धूमं प्रति कारणत्वप्रसङ्गः स्यात् । विद्यमानेऽपि हि शरीरे ज्ञानादीनां समस्तानां व्यस्तानां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy