SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તર્કરહસ્યદીપિકા ઈન્દ્રિય સાથે, ઇન્દ્રિયનો વિષય સાથે વગેરે. બીજી બાજુ મૂળ પ્રકૃતિની સાથે બુદ્ધિ વગેરેનો સંયોગ સંભવતો નથી કારણ કે મૂલ પ્રકૃતિ સાક્ષાત્ યા પરંપરાથી વ્યક્ત તત્ત્વોનું ઉપાદાનકારણ છે અને ઉપાદાનકારણ સાથે કાર્યનો કદી સંયોગ સંભવે નહિ. અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિને સંયોગ કહેવાય છે. સત્કાર્યવાદી સાંખ્યોના મતે કાર્ય જેમ કારણાત્મક છે તેમ કારણ પણ કાર્યાત્મક છે, કારણ અને કાર્યનો અભેદ છે. તેથી કાર્ય અને કારણ વચ્ચે અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિરૂપ સંયોગ સંભવતો નથી. સવિયવમ્ | अवयवनम् अवयवः मिथः संश्लेषः मिश्रणं संयोग इति यावत्, अप्रातिपूर्विका प्राप्तिः સંયોગ: તેનો સદ વર્તત કૃતિ સાવયવ સાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. મહદાદિ વ્યક્ત સક્રિય છે જયારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ નિષ્ક્રિય છે. મહદાદિ વ્યક્ત તત્ત્વો પોતપોતાની અધ્યવસાય આદિ ક્રિયાઓ કરે છે અને દેશાન્તરગમનાદિ ક્રિયાઓ પણ કરે છે. તેથી તેમને સક્રિય ગણ્યા છે. મહદાદિ વ્યક્ત તત્ત્વો પરિસ્પન્દવિશિષ્ટ છે. પરિસ્પન્દનો અર્થ છે દેશાન્તરગમન. બુદ્ધિ વગેરે તત્ત્વો પૂર્વગૃહીત શરીરને છોડી નવા શરીરનો આશ્રય લે છે. તથાદિ વૃદ્ધચી ૩૫ત્તમુપતિ રેહં ચર્નાન્તિ રેહાન્તર વોપાત ત તેષાં પરિસ્થ: સાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. બીજી બાજુ, પ્રકૃતિ નિષ્ક્રિય છે અર્થાત્ દેશાન્તરગમનરૂપ ક્રિયારહિત છે. મૂળ પ્રકૃતિમાં પરિણામરૂપ ક્રિયા હોવા છતાં દેશાન્તરગમનરૂપ ક્રિયા નથી. વર્ણવ્યાતિ પરિતિક્ષા %િથા તથાપિ પરિશ્મન્તો નાતિસાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. મૂળ પ્રકૃતિ વ્યાપક હોઈ દેશાન્તરગમન સંભવતું નથી. ભિક્ષુનું અર્થઘટન વિશિષ્ટ છે. તે કહે છે કે અવ્યક્ત અર્થાત મૂલ પ્રકૃતિ નિષ્ક્રિય છે એનો અર્થ એ કે તે અધ્યવસાય, અભિમાન વગેરે વિશિષ્ટ ક્રિયાઓથી રહિત છે અને નહિ કે ચલનારૂપ ક્રિયાથી પણ રહિત છે. ચલનાનો અર્થ છે ક્ષોભ. આનો અર્થ એ થયો કે મૂલ પ્રકૃતિની ગતિ મહાસાગરની ગતિ જેવી છે, મહાસાગર એક સ્થાનથી બીજા સ્થાને જતો નથી પરંતુ તેની પોતાની અંદર તો ગતિ યા ક્ષોભ છે જ. પ્રતેરથિર્વ વા_વાથમિHIનાવિFપ્રતિનિયતાશૂન્યત્વમેવ, ન તુ વેવિશૂન્યત્વેન્... વસ્ત્રાપુરનામોમવામાન્ ! યોગવાર્તિક ૨.૧૮. મહત આદિ વ્યક્ત તત્ત્વો લિંગ છે જ્યારે અવ્યક્ત અર્થાત મૂલ પ્રકૃતિ અલિંગ છે, આ ભેદને બીજી રીતે પણ સમજાવવામાં આવે છે. મહત્ આદિ વ્યક્ત તત્ત્વોનું મૂલ કારણ અવ્યક્ત છે, અર્થાત્ મહત્ આદિ વ્યક્ત તત્ત્વો મૂલ કારણ અવ્યક્તનાં કાર્યો છે. આ કાર્યભૂત વ્યક્ત તત્ત્વો પોતાના મૂળ કારણ અવ્યક્તનાં અનુમાપક (નમક) લિંગો છે. બીજી બાજુ અવ્યક્તનું મૂલ પ્રકૃતિનું) કોઈ કારણ નથી એટલે અવ્યક્ત કોઈનું કાર્ય નથી. પરિણામે અવ્યક્તની બાબતમાં તેનું પોતાના કારણનું અનુમાપક લિંગ હોવું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy