SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૬ તર્કરહસ્યદીપિકા પ્રત્યક્ષ જ્ઞાન તેને ઉત્પન્ન થાય છે. આમ આ પ્રસ્તુતપશુગત ગોસાદેશ્યનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણનું ફળ છે. અવ્યભિચારી વ્યવસાયાત્મક આદિ વિશેષણોવાળું આ જ ગોસાદશ્યજ્ઞાન જયારે “આ જ “ગવય' શબ્દવાચ્ય પ્રાણી છે' એ સંજ્ઞાસંજ્ઞસંબંધના જ્ઞાનને ઉત્પન્ન કરે છે ત્યારે ઉપમાન પ્રમાણ કહેવાય છે. સંજ્ઞાસંજ્ઞીસંબન્ધનું જ્ઞાન પોતે ઉપમાનનું ફળ છે. આ સંજ્ઞાસંજ્ઞીસંબંધનું જ્ઞાન આગમજન્ય છે એમ ન કહી શકાય કેમ કે તે સમયે તે જ્ઞાનને ઉત્પન્ન કરનારો કોઈ શબ્દ હોતો નથી. અને ગવય પ્રાણીના વિશે જે હેય-ઉપાદેયાદિનું જ્ઞાન થાય છે તે તો ઇન્દ્રિયાર્થસકિર્ષજન્ય હોવાથી પ્રત્યક્ષનું ફળ છે. (૨૩). 58. નથ તુર્થ શાન્િમદિशाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् । प्रमेयं त्वात्मदेहाचं बुद्धीन्द्रियसुखादि च ॥२४॥ 58. હવે આચાર્યચોથા શાબ્દપ્રમાણનું અર્થાત્ આગમપ્રમાણનું નિરૂપણ કરે છે– આતના ઉપદેશને શાબ્દપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણ કહે છે. આ રીતે પ્રમાણના ચાર પ્રકારો છે. આત્મા, શરીર વગેરે અને બુદ્ધિ, ઈન્દ્રિય, સુખ વગેરે પ્રમેય છે. (૨૪). 59. વ્યારા- શનિત શક્ટિમામ રૂટ્યર્થ: સુપ્રિમે, શદ્ધિ તું प्रमाणमाप्तोपदेशः । आप्त एकान्तेन सत्यवादी हितश्च, तस्योपदेशो वचनमाप्तोपदेशः । तज्जनितं तु ज्ञानं शाब्दस्य फलम् । मानं प्रमाणमेवमुक्तविधिना चतुर्विधम्। 59. શ્લોકવ્યાખ્યા–શબ્દથી ઉત્પન્ન થનાર શાબ્દ અર્થાત્ આગમ છે. ‘' શબ્દ ભિન્નકમવાળો છે, અર્થાત્ તેનો જેની સાથે પ્રયોગ થયો છે તેનાથી અન્ય સાથે તેનો અન્વય છે. તેથી “શાબ્દ પ્રમાણ તો આમોપદેશરૂપ છે એવો અર્થ થશે. જે એકાન્તપણે સત્યવાદી અને હિતકારી છે તે આપ્ત છે. આતનાં વચનને આમોપદેશ કહે છે. આ આતોપદેશરૂપ વચનથી ઉત્પન્ન જ્ઞાન શાબ્દપ્રમાણનું ફળ છે. આમ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રમાણના ચાર ભેદો યા પ્રકારો છે. 60. तदेवं प्रथमं प्रमाणतत्त्वं व्याख्याय संप्रति द्वितीयं प्रमेयतत्त्वं व्याख्यातुमाह- "प्रमेयं त्वात्मदेहाद्यम्" । प्रमेयं तु प्रमाणफलस्य ग्राह्यं पुनरात्मदेहाद्यम्, आत्मा जीवः, देहो वपुः, तावाद्यौ यस्य तदात्मदेहाद्यम् । बुद्धीन्द्रियसुखादि च प्रमेयम् । बुद्धिर्ज्ञानं, इन्द्रियं चक्षुरादिमनःपर्यन्तं, सुखं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy