________________
૪૦૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મૂર્શિત અવસ્થામાં પણ શરીરની જાળવણી માટે અન્નપાનાદિનું સેવન પણ કરતી નથી અને સ્નાન, વિલેપન, માલાધારણ આદિ દ્વારા શરીરનો શૃંગાર પણ કરતી નથી. ક્ષણભર માટે પણ પતિથી વિખુટી પડ્યા વગર વિલાપ કરે છે. ક્યારેક ક્યારેક આવી પતિવ્રતા પત્નીઓ સદુપદેશ દ્વારા પોતાના પતિને તથા અન્ય માણસોને પણ સન્માર્ગે વાળતી હતી. આવી પતિવ્રતા પત્ની માટે પતિ જ સર્વસ્વ હતો. પતિના અભાવમાં તેનું જીવન ખૂબ જ કષ્ટમય બની જતું. રાજીમતીનું ઉદાત ચરિત્ર એ માટે એક ઉજ્જવળ ઉદાહરણરૂપ છે. વિવાહની મંગળ વેળાએ જ્યારે તે એમ સાંભળે છે કે પાતાનો થનાર પતિ અરિષ્ટનેમી દીક્ષા લઈ રહ્યો છે ત્યારે તેના મુખની કાંતિ તથા મુખનું હાસ્ય અલોપ થઈ જાય છે. રાજકન્યા રાજીમતીમાં સ્ત્રી-ઉચિત બધા સારા ગુણો વિદ્યમાન હતા. જો તે ઈચ્છતા તો કોઈ પણ મનપસંદ રાજકુમાર સાથે પરણી શકી હોત પણ એકવાર અરિષ્ટનેમીને પતિ તરીકે પિતાની પ્રેરણાથી પસંદ કરી લીધા પછી બીજા રાજકુમાર સાથે તે લગ્ન કરવાનું ઈચ્છતી નથી અને બાલબ્રહ્મચારિણી રહી પતિના માર્ગનું અનુસરણ કરે છે. પોતે દીક્ષા લીધા પછી તે અન્ય સ્ત્રીસમાજને પણ શ્રમણધર્મમાં દીક્ષિત કરે છે. એકવાર જ્યારે રાજીમતી રેવતક પર્વત ઉપર જઈ રહી હતી ત્યારે વર્ષોથી વસ્ત્રો ભીંજાઈ જતાં તે પાસે આવેલ અંધકારપૂર્ણ ગુફામાં વસ્ત્રો ઉતારી સૂકવવા માંડે છે. એ સમયે પહેલાંથી ત્યાં
१ भारिया मे महाराय ! अणुरत्ता अणुव्वया ।
अनं पाणं च ण्हाणं च गंधमालविलेवणं । मए नायमनायं वा सा बाला नेव मुंजई ॥
–૩. ૨૦. ૨૮-ર૯.
તથા જુઓ – ઉ. ૨૮. ૩૦. २ सोऊण रायकत्रा पव्वज्जं सा जिणस्स उ ।
णीहासा उ निराणंदा सोगेण उ समुच्छिया ।। राईमई विचिंतेई धिगत्यु मम जीवियं । जाऽहं तेणं परिच्चता सेयं पव्वइउं मम ॥
–૩. રર. ર૯-૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org