________________
પ્રકરણ ૫ વિશેષ સાધ્વાચાર પાછળના પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે વિશેષ અવસરોએ કર્મોની વિશેષ નિર્જરા કરવા માટે સાધુ જે પ્રકારના સદાચારનું વિશેષ પાલન કરે છે તેને અહીં વિશેષ સાધ્વાચાર'ના નામે રજુ કરેલ છે. આ વિશેષ સાધ્વાચાર સાધુના સામાન્ય આચાર કરતાં સર્વથા નિરાળા નથી પણ જ્યારે સાધક પોતાના સામાન્ય સાધ્વાચારનું જ વિશેષ રૂપે દઢતાપૂર્વક સર્વ પ્રકારનાં કષ્ટો સહી પાલન કરે તો તેને તપશ્ચર્યા વગેરે રૂપે વિશેષ સાધ્વાચારના નામે વ્યક્ત કરવામાં આવે છે. વિષયની દૃષ્ટિએ તેને નીચે જણાવેલ ચાર રીતે વિભક્ત કરવામાં આવે છે.
૧. તપ-તપશ્ચર્યા ૨. પરીષહજય-તપશ્ચર્યા વગેરેમાં પ્રાપ્ત થયેલ કષ્ટો ઉપર વિજય ૩. સાધુની પ્રતિમાઓ-તપ વિશેષ ૪. સલ્લેખના-મૃત્યુ સમયની વિશેષ તપશ્ચર્યા હવે ક્રમશ: આના પર પ્રસ્થાનુસાર વિચાર કરવામાં આવશે.
તપશ્ચર્યા-તપગ્રન્થમાં ક્યાંક ક્યાંક ચારિત્રથી પૃથક તપનો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તે તેના મહત્ત્વને પ્રગટ કરવા માટે થયેલો છે. તપ એક પ્રકારનો અગ્નિ છે અને તેના દ્વારા સેંકડો પૂર્વ-જન્મોમાં સંચિત (પૂર્વબદ્ધ) કર્મોને શીધ્ર બાળી નાખી શકાય છે. કર્મ કે જે આત્મા સાથે સંબંધ ધરાવે છે તેની સંખ્યા એટલી બધી વધારે છે કે તેને આયુષ્યના અલ્પકાળમાં ભોગવીને નષ્ટ કરી શકાય તેમ નથી. તેથી વિશાળ તળાવના જળને સુકવવા માટે જેમ જળના પ્રવેશવાના દ્વારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org