SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ "Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru is also obtained in a Svetambara Shrine, in the Hastisala of the Luna Vasahi MT.Abu.” ૨૩૪ પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ભુત મુનિશ્રી જયંતવિજયજીએ કરેલું વર્ણન આબૂની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત ‘ક્લ્યાણય’નું આબેહૂબરૂપ હોવાનું પ્રતીત થાય છે. એ ‘પંચમેરુ'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ ‘મેરુગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને ‘પંચમેરુ’ કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની)૨૩ અથવા, પ્રકારાંતરે ઉપરાઉપર પાંચ મજલાવાળી” રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત ‘કલ્યાણત્રય’ વા ‘કલ્યાણત્રિતય'ના અગાઉ ચર્ચિત વર્ણનને હૂબહૂ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે. એમ જણાય છે કે વિરેષ્ઠ બંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રૈવતાચલાધીશ ભગવાન્ નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમ કે વસ્તુપાળે ગિરનારિગિર પર અને ધવલકક્ક(ધોળકા)માં ‘શત્રુંજયાવતાર’નાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિજિનનો ‘ક્લ્યાણત્રિતય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં ‘ઉજજયંતાવતાર'નાં મંદિરો કરાવેલાં. આબૂવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં ‘કલ્યાણત્રય’-ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને ‘ઉજ્જયંતાવાર' માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-ઢળણ પણ તેની સ્થાપના અર્બુદગિર પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે ‘શત્રુંજયાવતાર’ સાથે ‘અષ્ટાપદ’ અને ‘સમ્મેતશિખર'ની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં ‘કલ્યાણત્રય'ની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીકરચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે. ગિરનારના સં. ૧૨૮૮ / ઈ. સ. ૧૨૩૨ના મહામાત્ય વસ્તુપાલકારિત ‘વસ્તુપાલવિહાર’ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલા ‘કલ્યાણત્રય’ પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુત મંદિર સં ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy