SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૦૯ પ્રતિષ્ઠિત થઈ હશે. આ જ કાળમાં મૂકી શકાય તેવો એક નગ્ન જૈન મુનિની આકૃતિવાળો, મંદિરની જંઘાનો ખંડ, રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલો અને હાલ એને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. શિલ્પોનાં આ પ્રમાણો જોતાં એમ જણાય છે કે આઠમા-નવમા શતકની આસપાસ પ્રભાસમાં કોઈ દિગંબર જૈન મંદિર અવશ્ય હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે આ મંદિર નષ્ટ થયું હોય અને ત્યાર પછી એના પર કાંઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોય. ભીમદેવ બીજાના સમયમાં દિગંબર મુનિ હમકીર્તિએ જે જીર્ણશીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવેલો તે મોટે ભાગે આ જ ચંદ્રપ્રભનું મંદિર હોઈ શકે. આ શિલાલેખનો નિર્દેશ ટિપ્પણ ૩માં અગાઉ અપાયેલ છે. ક્ષપણક મંદિરને લગતા તમામ શિલ્પખંડો રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલા છે. અને તેથી આ મંદિર એ કુંડની આસપાસમાં જ હોવું જોઈએ. આ રામપુષ્કરકુંડ પાસે પાનવાડી મસ્જિદના પ્રવેશદ્વારમાં મંદિરના કાટમાળામાંથી બનાવેલી પીળા પાષાણની સાદી પણ સૌમ્ય જૈન મંગલમૂર્તિ ધરાવતી દ્વારશાખા છે. મસ્જિદમાં હિ. સં. ૭૨૦નો ફારસી લેખ હતો. સંભવ છે કે હેમકીર્તિએ કરેલ જીર્ણોદ્ધારવાળા મંદિરનો જ કાટમાળ આ મસ્જિદમાં રૂપાંતર પામ્યો હોય. પીળા પાષાણનો બહોળો ઉપયોગ કુમારપાળના સમયથી થવા લાગેલો. આ દ્વારશાખા એની શૈલીની દૃષ્ટિએ ૧૨મા-૧૩મા શતકની જણાય છે. મસ્જિદની સ્તંભાવલી પ્રમાણમાં સાદી છે. (૨) શ્વેતાંબર સંપ્રદાયનાં મંદિરોમાં સૌથી પ્રાચીન મંદિર પરંપરા અનુસાર વલભી ચંદ્રપ્રભનું હશે એ અંગે આ અગાઉ ચર્ચા થઈ ગયેલી છે. આ મંદિર સાથે સીધી રીતે સાંકળી શકાય તેવાં આઠમા શતકથી ૧૧મા શતકના પ્રથમ ચરણ સુધીનાં શિલ્પ કે સ્થાપત્યનાં કોઈ પ્રમાણો દુર્ભાગ્યે હજી સુધી મળી શક્યાં નથી. સંભવ છે કે મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ચંદ્રપ્રભના આ મંદિરનો નાશ થયો હોય અને પાછળથી જીર્ણોદ્ધારકોએ ખંડન પછીના તમામ જૂના અવશેષો દૂર કર્યા હોય; પરંતુ ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવી પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં આવેલી શ્વેત પાષાણની એક શીર્ષવિહીન પદ્માસનસ્થ સવસ્ત્ર પ્રતિમાં આ સમય પૂરતું તો મહત્ત્વ પ્રમાણ પૂરું પાડે છે. એના પબાસણનો ભાગ હજી આગલા યુગની પ્રથાને અનુસરે છે, પણ એ સારી રીતે ખંડિત હોઈ આ પ્રતિમા કયા જિનની હશે એ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. પ્રતિમાની બન્ને બાજુએ કંડારેલી ચામરધારી મૂર્તિઓની શૈલી સ્પષ્ટપણે ૧૧મી સદીના પ્રારંભકાળની છે. જિનપ્રતિમાનું વસ્ત્ર પણ ઘણું જ પાતળું અને નિ, ઐ, ભા. ૨-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy