SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો રૈલોક્યસુંદર પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્કક વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતમાં વિરધવલના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર વસ્તુપાલે અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વરના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી ગણદેવીમાં તેજપાલે નેમિચૈત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ તેજપાલે (ઝગડિયામાં?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં". (૨૩) ભૃગુકચ્છ અહીં ઉદયનમંત્રીના પુત્ર આદ્મભટ્ટે ઈ. સ૧૧૬૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલીનિર્ગમ દ્વારા તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોડે?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિબ મુકાવ્યાં. મુનિસુવ્રતસ્વામીની ધાતુની મૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy