SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૯૧ (નિર્ગસ્થ) કવિ (પણ કુરૂપ) એવા આર્ય વજભૂતિનો અહીં નિવાસ હોવાનું આવશ્યકચૂર્ણિમાં નોંધાયેલું છે. આથી ઈસ્વીસની પહેલી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં, ક્ષત્રપયુગના આરંભે, અહીં નિર્ઝન્થ સંપ્રદાયના અનુયાયીઓનો વાસ હશે તેમ લાગે છે. પ્રસ્તુત વજભૂતિ આર્ય વજના શિષ્ય વજસેનના શિષ્ય હશે?) જે હોય તે, પણ આ બધી વાતો એક અનુગુપ્તકાલીન નોંધ અને પશ્ચાત્કાલીન કથાનકોની જ હોઈ એના પર ભૃગુકચ્છ મુનિસુવ્રત જિનના મંદિરની મૂળ સ્થાપનાના સમય સંબદ્ધ કોઈ પણ જાતનો મદાર બાંધવા માટે ઓછામાં ઓછું મૈત્રકકાળ જેટલાં પુરાણ પ્રમાણોની અપેક્ષા રહે, જે હાલમાં તો ક્યાંયે નજરે પડતાં નથી. ટિપ્પણો : ૧. વિવિધ તીર્થરાજ, પ્રથમ ભાગ, સિંધી જૈન ગ્રંથમાલા, સં. જિનવિજય, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪. ૨. એજન, “મથુરાપુરીકલ્પ,” પૃ. ૧૯. ૩. એજન. ૪. વિ તી. , પૃ. ૮૬. ૫. ધોળકાના પ્રસ્તુત જિનાલયનો ઉલ્લેખ આમ્રદેવસૂરિએ ધ્યાનાિોશની પ્રશસ્તિમાં કરેલો છે; જ્યારે મંત્રીશ્વર વસ્તુપાલ શત્રુંજય પર યુગાદીશ્વરના મુખ્ય મંદિરની સંનિધિમાં કરાવેલા “ભૃગુપુરાવતાર મુનિસુવ્રત'ના મંદિરનો વસ્તુપાલ સંબંધ લખનારા સમકાલિક તથા ઉત્તરકાલિક લેખનો, અભિલેખાદિ સાહિત્યમાં મળે છે. અહીં આ મુદ્દો ગૌણ હોઈ તત્સંબદ્ધ સંદર્ભગ્રંથો ટાંક્યા નથી. ૬. આ નોંધ ૨૫ વર્ષ પહેલાં કયા કેટલોગમાંથી ઉતારી હતી તેનું વિસ્મરણ થઈ જવાથી અહીં સ્રોતની નોંધ આપી શક્યો નથી. વર્તમાને મને ઉપલબ્ધ હતી તે હસ્તપ્રત સંબંધની બધી જ સૂચિઓ જોઈ ગયેલો પણ ઉપર્યુક્તની માહિતી તેમાંથી જડી આવી નહોતી. ૭. શ્રી મનસુવ્રત-સ્વામિ-સ્તવન," Ancient Jaina Hymns, ed. Charlotte Krause, Scindhia Oriental Series No-2, p. 19. ૮. આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધીમાં તો પ્રસ્તુત જિનાલયનું નવનિર્માણ સંપન્ન થઈ ચૂક્યું હશે. ૯. અચાવબોધતીર્થ સાથે શકુનિકાવિહારના રૂપકને દર્શાવતા આવા શિલાપટ્ટો આબૂ (લૂણાવસહી), કુંભારિયા, જાલોર (સુવર્ણગિરિ) આદિ સ્થિત જિનાલયોમાં જોવા મળે છે. આ બધા જ પટ્ટો ૧૩મી શતાબ્દીથી પ્રાચીન હોય તેવું જણાતું નથી. ૧૦. આ અભિધાન (સ્વ) હીરાલાલ ૨. કાપડિયાએ પ્રયોજયું હોવાનું સ્મરણ છે. એમનો મૂળગ્રંથ હાલ મારી સામે ન હોઈ તેનો સંદર્ભ દઈ શકતો નથી. ૧૧, જઓ શ્રી પ્રતિક્રમણ સૂત્ર, સંવ ભીમસિંહ માણેક, મુંબઈ ૧૮૮૮, પૃ. ૫૯. આ સ્તોત્ર “ “જગચિંતામણિસ્તોત્ર” તરીકે પણ પ્રસિદ્ધ છે અને શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રાણિ અંબાલા સીટી ૧૯૩૭, સહિત ઘણે સ્થળે છપાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy