SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૧૯૫ ૨. પથિક વર્ષ ૯, અંક ૮-૯, મે જૂન ૧૯૭૦, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ. ૯૬-૯૭. ૩. એજન, પૃ. ૯૬. ૪. અત્રિ, પૃ. ૯૭. ૫. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧. (ક્રમાંક ૧૯૩), અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ. ૨૧. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં. ૧૪૩૦ | ઈ. સ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. ૬. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૫૬૯. સં. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). ૭, “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ થાય. આમાં કહેલું “પુર ગામ તે “ભૂતામ્બિલિકાના રાણક બાષ્પદેવના સં. ૧૦૪૫ ( ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું પુરબંદિર' એટલે કે હાલનું “પોરબંદર' હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે પુરની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૮. મયણી તે પોરબંદરથી ૨૨ માઈલ વાયવ્ય આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી (મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શક્યા નથી.) આજે “મિયાણી'માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં ૧૨૬૦ | ઈ. સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૯. ઘૂમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgessના Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI રજૂ કર્યું છે. ૧૦. જુઓ ૫, લાલચંદ્ર ગાંધી, “શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ. ૧, અંક ૯ વૈશાખ ૧૯૮૨, પૃ. ૩૦૪. ૧૧. સિઘી જૈન ગ્રંથમાલા, સં. (મુનિ) જિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૧૦. ૧૨. એજન પૃ. ૨. ૧૩. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા. બંસીધરે “જૂનાખાં' સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. “જૂનાખાં”—અરબીમાં ““જૂના” = હિંસકપ્રાણી, ખાં = ઘર, રહેઠાણ. જુના” (“જુ”-હૃસ્વ) = ઝનૂન ઝનૂની ખાં = ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાનું પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિહ હિંસક પશુઓ રહેવાથી “જૂના-ખાં” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy