SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા કરવાનો અધિકાર નથી મળી જતો. તેવો અધિકાર તો ત્યારે જ મળી શકે, જ્યારે તમે કોઈને કોઈ અંશે કે રૂપે તેમના જેવા હો. આત્મસાધક સંત મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીને એકવાર વિનંતી કરેલીઃ યોગદષ્ટિ વિષે આપ કાંઈક વિવરણ આપો, તો અમારા જેવાને તેનાં સાધનાલક્ષી રહસ્યો મળે. જવાબમાં તેમણે જણાવેલું : “આ વિષય પર વિવરણ કરવા જેટલી ક્ષમતા તથા કક્ષા હજી મેં મેળવી નથી, માટે હું નહિ લખી શકું.” આ ઉપરથી આપણને સમજાય કે વિવરણનો અધિકાર એટલે શું? એ પ્રાપ્ત કરવો કેટલો આકરો હોય છે, અને એ પ્રાપ્ત કરવા માટે કેટલી આકરી સાધના જરૂરી હોય છે ? આ સાધના અને આ અધિકાર–અને શ્રીમદ્ દેવચન્દ્રજી પાસે હતા; અને આપણા પરમ સદ્ભાગ્યે, તેઓએ તે અધિકારનો ઉપયોગ પણ કર્યો; જેનું પરિણામ છે જ્ઞાનમેરી, કેવું મીઠડું નામ ! સાધના ગમે તેટલી કઠોર ભલે હોય, પણ તેનું લક્ષ્ય જો ચિદાનંદની મૌજ હોય, તો તેનો સાધક જ્ઞાનમી સર્જી શકે; અને તો, તે સર્જન, ટીકાગ્રંથ હોવા છતાં, સ્વતંત્ર ગ્રંથરચનાનું ગૌરવ પામી શકે. હા, જ્ઞાનમથી એ શ્રીમદ્ દેવચન્દ્રજીનું એક આગવું ગ્રંથસર્જન છે. વ્યવહારમાં ભલે તે જ્ઞાનસારની ટીકાનું નામ હોય - ટીકા ગણાતી હોય, પણ તેમણે ગ્રંથના પદાર્થોને જે રીતે ખોલ્યા છે, વિકસાવ્યા છે; જે રીતે એક એક પદ્ય અને તેના એક એક પદના મર્મને તેમણે પકડ્યો છે, તે જોતાં તેમની આ ટીકાને સ્વતંત્ર-મૌલિક ગ્રંથસર્જન કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી થતી. વસ્તુતઃ તો ઉપાધ્યાયજીના રચેલા શબ્દો સાથે કામ પાડવું એ જ જેવાતેવાના ગજા બહારનું ગણાય. તેમના ગ્રંથ પર વિવરણ કરવા માટે તેમના સમાનધર્મા હોવું અનિવાર્ય છે; અને દેવચન્દ્રજી મહારાજ તેમના એ હદે સમાનધર્મો છે – લાગે છે, કે તેમણે તત્ત્વજ્ઞાનની તિજોરી જેવા આ - જ્ઞાનસાર ગ્રંથમાં સુદઢતાપૂર્વક સ્વૈરવિહાર કર્યો છે, અને આ (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy