________________
८८
ચેતન ! અબ મોહે દરિસણ દીજે
--- ની પૂર્વ ભૂમિકા
USTOી ગ્રન્થ ર |
અહેતુના શાસનમાં તમામ વિચારણા નય સાપેક્ષ કરવાની કહી છે તે રીતે તમે જે વિચારો રજૂ કર્યા તે બરાબર છે. સંયમ સાધન છે, સાધ્ય તરીકે આત્મપરિણતિ છે તે વાત સારી છે. આ મુદ્દો બીજી રીતે વિચારવા જેવો લાગ્યો. જો કે મારા જેવા માટે તો ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો એવું છે. છતાં બૌદ્ધિક સ્તરે તે વાત મનમાં એ રીતે આવી કે મહાવીર મહારાજાની સાધનામાં, પ્રરૂપણામાં આત્મા કેન્દ્રમાં હતો તો આત્માના દર્શન માટે તે દેહથી જૂદો છે તેવો જે અનુભવ તે માટે તે કાર્યમાં સાધક સાધનો અપનાવવામાં ઘાતક પરિબળો દૂરથી તજવા અને બાધક પરિબળોથી બચતાં રહેવું.
આમ દેહ-મન-વચન-પુગલ થકી કર્મથી ભિન્ન જે સ્વરૂપ તેને જેમ કપડું પહેરવા છતાં કપડાંથી દેહ અળગો છે તેમ અનુભવાય છે તેમ દેહાદિથી લોખંડ અને અગ્નિની જેમ એકમેક હોવા છતાં તેને અળગોનિરાળો અનુભવવો તે સંયમજીવનનું સાધ્ય એટલે પોતે દેહમાં હોવા છતાં તેની નજર દેહ આદિને ઓળંગીને એ બધા પુદ્ગલ જગતની પેલે પાર જે કદી ન ઓલવાય તેવું અજવાળું છે તેનો અનુભવ કરવો. તેને માટે પ્રભુએ સંયમજીવન બતાવ્યું છે અને શુદ્ધસંયમ જ્યારે પળાય છે ત્યારે એ જે જે જીવોને અભય આપીને અહિંસા આચરીને મિત્ર બનાવ્યા તે બધાં આ કાર્યમાં સહાયક બની જાય. લોભાદિ કષાયોની પકડ ઢીલી પડી જાય. આત્મા તરફનું આકર્ષણ જાગી ગયા પછી તેનાથી ઈતર તમામ અનાત્મજગત તુચ્છ ને એંઠવાડ લાગે તેથી તેનું આકર્ષણ લેશમાત્ર ન રહે એમ તેની સહજ સાધના ચાલતી રહે અને આત્માના દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org