SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ચેતન ! અબ મોહે દરિસણ દીજે માગસર સુદ ૫ - ૨૦૬૨ દશા પોરવાડ ઉપાશ્રય અમદાવાદ US I[ CI[ ગ્રન્થ ૨ | પ્રિય આત્મનું, પ્રેમ...પ્રેમ...પ્રેમ. આજે સંયમ જીવનનાં પીસ્તાલીસમાં વર્ષે, વિતેલા વર્ષોનું વળતર જોવા મન તલસે છે, તેનાં લેખાં-જોખાં કરવા મન ઉત્સુક છે. સંયમ જીવન શેના માટે? સંયમ જીવનથી શું સિદ્ધ કરવું છે? તારે ઘર સંવમvi વાર્થ તેઠ્ઠિા (અર્થ ઃ દોષોથી ઉભરાતા સંયમ માટે ઉપદેશમાલાના વચનમાં કહેવાયું છે કે તેઓએ ઘરબદલો જ કર્યો છે) સાર્થક કરવું છે કે મદ્ય તે સંપન્ન નન્ના બોલી શકાય તેવું જીવવું છે? પ્રભુ મહાવીરે સંયમ જીવનની અનિવાર્યતા કયા પ્રયોજન માટે કહી છે ! થોડીવાર તે વીચારી જો ! તારા સ્વરૂપ ઉપર હું ઓવારી જાઉં છું. આજે સાતિચાર સંયમના ૪૫ વર્ષ થયા. તે નિમિત્તે તારી સાથે થોડો સમય ગોઠડી કરવી છે. પ્રભુએ મનુષ્યભવની સાર્થકતા વર્ણવતા કહ્યું છે: “દેહથી આત્મા જુદો છે.’ આ વચન શ્રદ્ધાથી સ્વીકાર્યા પછી તે અનુભવાય તો આ જન્મ લેખે લાગે. આ અનુભવ આત્મસાત કરવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રવજ્યા-દીક્ષા છે. જીવનમાં સાધુતા પ્રગટે ત્યારે જ દેહ ગૌણ બની શકે. તે માટે જેટલાં સાધક સાધનો છે તેને અપનાવવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy