________________
વીતેલા ભવોના ગાઢતર સંસ્કારોએ સંશાનું રૂપ લીધું છે. તે સંસ્કારો દોષરૂ૫ છે તેવું ક્યારે પણ લાગ્યું ન હતું. આ ભવમાં પ્રભુના વચનનાં અજવાળે પરખાયું કે આ પરિપુ જેને કહેવાય છે તે આ, કામ, ક્રોધ, માન, મદ, માયા, લોભ-આછયે વૃત્તિઓ તો નાનું નિમિત્ત મળતાં જાગી જાય છે ! આપણો કબજો લઈ લે છે. આપણે પણ એને તાબે થઈ જઈએ છીએ. અરે! એ ક્ષણોમાં આપણે તે દોષમય થઈએ છીએ. મનમાં દોષ છવાઈ જાય છે અને મનમાં તેનાં જ દર્શન થાય છે, શરીરના અંગ-પ્રત્યંગમાં તેનાં જ દર્શન થાય છે. આવા જોરૂકાદોષને કાબૂમાં લેવાનું ઘણું અઘરું છે. મુશ્કેલ કામ છે; એકલે હાથે ન થાય તે માટે જેઓએ આ અશુભવૃત્તિઓને જીતી લીધી છે તેવા મોટા પુરુષોને શરણે જવાથી, કદાચ જીતવાનું બને કેન બને, કાબુમાં તો લઈ શકાય જ. ઝેરથી ભરેલાં સાપને મદારી જેમ કાબૂમાં રાખે છે તેમ બની શકે તે માટે, અશુભવૃત્તિઓનાં વિજેતાની મદદ માંગીએ, તેમની સહાયથી પણ આ પરિપુ પર કાબૂ આવી શકે તેમ છે. તેમની સહાય દર પળે મળી શકે તેમ છે. ધર્મની તમામે તમામ આચરણા આ છ વૃત્તિના વિજય માટે જ કરવાની છે. ધર્મમાં આ તાકત છે. તેનાં દર્શન, વિતેલા કાળમાં અને વર્તમાન કાળમાં અનેક ઉત્તમ જીવોના ચરિતમાંથી જાણી શકાય છે. જરાસંધ રાજાએ વાસુદેવના સૈન્યને જરા નામની વિદ્યાના પ્રભાવે ઘરડું બનાવ્યું હતું ત્યારે તેમાંથી મુક્ત કરવા માટે કૃષ્ણ મહારાજાએ, નેમિકુમારની મદદ માંગી હતી. નેમિકુમારની દોરવણીથી પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રાપ્તિ અને તેના અભિષેક-જળથી સૈન્યને જરા-મુક્ત કરી શકાયું હતું તેમ આપણાં અંતરંગ દોષના બીજને બાળવાવીર પ્રભુનો સહારો માંગીએ અને તેને કાબૂમાં લઈએ વિજેતા બની રહીએ..
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org