________________
વર્ષના પ્રારંભે ચોપડામાં લખવાનો મંગળ રિવાજ છે. “શાલિભદ્રની ઋદ્ધિ સિદ્ધિ મળજો' -- એવું લખાય છે. આ વાક્યથી શરૂ થયેલી યાદી ઠીક ઠીક લાંબી હોય છે. આ યાદી જોઈને એના લખનારા પણ જોયા છે. વર્ષે વર્ષે નવું વર્ષ આવે, નવા ચોપડા લખાય. આ યાદી લખનાર પ્રાયઃ એવા ને એવા જ રહે છે ! કદાચ વ્યાપાર-વણજની કુનેહથી અને પ્રારબ્ધથી સમૃદ્ધિવાનું પણ બને છે તો પણ યાદીના આ લખાણને જસ આપવાનું સૂઝતું નથી. મને એક વિચાર આવે છે. આમ, યાદી લખી જવાથી ગુણ આવતા નથી. દોષ પણ દૂર જતાં નથી. તો, જે ગુણ પ્રગટાવવામાં નિમિત્ત બનાવી શકાય છે તેની જ માગણી કેમ ન કરવી? આપણા શ્રી સંઘમાં હરિભદ્રસૂરિ મહારાજ સુપ્રસિદ્ધ છે. તેઓનો અહંતુ શાસનમાં પ્રવેશ થયો તેમાં નિમિત્ત તેઓનું અભિમાન બન્યું છે! આપણામાં અભિમાન તો છે જ અને આ ભવમાં એ કાંઈ જાય તેમ છે નહીં! તો તે પરિશુદ્ધ અને પ્રામાણિક બને તો કાંઈક આત્મિક લાભ તરફ જીવનનો વળાંક આવે. હરિભદ્ર પુરોહિતના પ્રામાણિક અભિમાનની વાત જાણીતી છે: “જે કોઈ શ્લોક સંસ્કૃત-પ્રાકૃતમાં હોય અને હું ન સમજું તે મને જે સમજાવે તેનો હું શિષ્ય બનું.” --આ પ્રકારનું અભિમાન તેમને હતું. પરંતુ તે પ્રામાણિક હતું. મને તો તે અભિમાનનું કુળ ઇન્દ્રભૂતિના અભિમાનના કુળના જેવું લાગ્યું. આવા ગુણમાં પરિણમે તેવા કુળનું અભિમાન જેવું આપણું અભિમાન બને તો તે ઈચ્છવા જોગ છે. ઇન્દ્રભૂતિના માનના શિખરની લગોલગ તેની ઓથમાં સરળતા છૂપાયેલી હતી. ઇન્દ્રભૂતિના અભિમાનનું સ્વરૂપ તો જુઓ! “મારા મનમાં રહેલા સંશયને, (માત્ર સંશયને, તેના નિરાકરણને નહીં) કહી આપે તો માનું કે આ સર્વજ્ઞ છે.” અને જેવા પ્રભુ મહાવીર મહારાજાએ કહ્યું: “શું તને જીવનો સંશય છે !” ત્યાં તો ઇન્દ્રભૂતિ, પ્રભુ મહાવીરના દાસ બની ગયા. પ્રભુએ તો કહ્યું કે વેદપદના અર્થને સમ્યગુ રીતે કેમ વિચારતા નથી ! તમારે વિજ્ઞાન ધન એ પદનો અર્થ આત્મા નહીં પરંતુ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. આ સ્પષ્ટીકરણ માત્રથી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી બની ગયા ! દશાર્ણભદ્ર રાજાની પણ અભિમાનની બાબતમાં ખૂબ જાણીતી ઘટના છે. આપણા દોષો પણ ગુણને જન્માવી શકે તેમ છે. એ ઓછા આનંદની વાત છે? આવો આનંદ સર્વત્ર હો!
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org