________________
માનવ મનને આ તે શી ટેવ ? (કે કુટેવ ?)
કોઈ ઘટના જાણી કે અભિપ્રાય આપ્યો જ છે ! કોઈ મળે પછી તરત એના વિશે અભિપ્રાય આપ્યો જ છે ! અભિપ્રાય પણ કેવા ? બે જ જાતના !
આ સારું છે અથવા આ બરાબર નથી. આવું તે શું કર્યું ? આવું કરવું જોઈતું હતું !
ઠીક મારા ભાઈ ! ઠસ્સો કેવો હતો ?
આને બદલે આમ કરવું જોઈતું હતું. આમ, વગર પૂછે અને વગર માંગે અભિપ્રાયો આપવાની ટેવ માનવજાતને પડી છે. બધા જ એમ લોલમલોલ કરે, એટલે સર્વત્ર સ્વીકારાયેલી ટેવ છે ! આવી સલાહની કિંમત એક કોડીની પણ ન હોય ! -
કહ્યું છે ને કે સસ્તામાં સસ્તું શું ? તો કહે ‘સલાહ.' મોંઘામાં મોંઘું શું ? તો કહે ‘સલાહ !’
કોઈ સલાહ માંગે ને આપીએ તે સલાહ સોનાની બની જાય અને વણમાગી સલાહ પિત્તળ બની જાય ! પણ...આ લાચાર માણસ ! બોલ્યા વિના કેમ રહી શકે? વિચારકો આને વાક્શક્તિનો દુર્વ્યય કહે છે. વીર્યપાતથી પણ વધુ ખતરનાક ગણે છે. આ થયું કાજીપણું. આપણે કાજી થવા જન્મ્યા નથી. તટસ્થ થઈને, અળગા રહીને, બનતા બનાવોને આપણે માણ્યા નથી. જે કાંઈ જોઈએ છીએ તેમાં તરત ઇન્વોલ્વ થઈ જ જઈએ છીએ. કરવા જેવું કામ તો છે -સાક્ષીભાવ. સાક્ષીભાવ એક વાર કેળવાયો પછી જોઈ લ્યો મજા ! આજ સુધી ન માણી હોય તેવી મજા ! શરૂઆત હળવેથી થાય. એક કલાક-પૂરતો સંકલ્પ કરી શકાય ઃ આ કલાક દરમિયાન જે બનાવ બનશે તેને જોઈશ. નિરખીશ. પણ તેની તરફેણમાં કે વિરૂદ્ધમાં એક પણ શબ્દ ઉચ્ચરીશ નહીં. માત્ર જોયા કરીશ. સાંભળ્યા કરીશ.
દેહથી આત્માને ભિન્ન માનવાની સાધનાની શરૂઆત તો દૂર રહી,અહીં તો ફક્ત મનને અળગું રાખવાની વાત છે. કરી તો જુઓ ! અઘરું છે ? અરે ભાઈ આ દુનિયામાં કશું અઘરું નથી. ખબર છે ને કે —–
करत करत अभ्यासजन जडमति होत सुजान। रसरी आवत जात है शिल पर पडत निशान ॥ સતત અભ્યાસ કરવાથી જાડી બુદ્ધિવાળો પણ સુજ્ઞ બને છે; કૂવાના કાળમીંઢ કાંઠા પર દોરડું રોજ ફરે છે તેથી પથ્થર ઉપર આંકા પડી જાય છે. આપણું મન પત્થર તો નથી પણ ફૂલ જેવું કોમળ છે. તો કરો આજે જ કંકુના
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org,