________________
૨૩૨
શેરડીનો સાંઠો
ચિતોડના મહારાણા કરણસિંહને આજે ઘેરી ચિન્તા ઘેરી વળી છે. ગુજરાતની રાજધાની પાટણથી સમાચાર આવ્યા છે કે રાજા ભીમને કોઈ મહા રોગ થયો છે, તે જીવલેણ છે. બધા જ કુશળ વૈદ્યોએ આ રોગનો, “અમારી પાસે કોઈ ઈલાજ નથી' એમ કહી દીધું છે. રાજા અને પ્રજા એકમેક થઈને જીવતા હતા. પ્રજાના વ્યાપકપણે સુખચેન હરામ થઈ ગયા છે. રાજાને હવે મરણ એ જ શરણ છે; એ મરણને નોંતરવું કઈ રીતે તેની મથામણ ચાલે છે.
ઘણાં ધર્માનુરાગીજનોની પણ સલાહ લેવામાં આવી. રાજા જીવવા માંગતા નથી, જીવવામાં રસ નથી. જીવનનો અંત લાવનારા જે રસ્તા છે જો કે તેને રસ્તા ન કહેવાય, પણ છેવટે બધાને સંમત થવું પડ્યું છે કારણકે સ્વજનોથી રાજાની વેદના-પીડા જોવાતી નથી. ક્ષણે-ક્ષણે માથામાં ભાલા ભોંકાતા હોય અને છરી ફરતી હોય તેમ લાગતું હતું.
ચિત્તોડના મહારાણાને ગુજરાતના રાજા ભીમ પર અપાર વહાલ હતું. તેમના રાજ્યમાં ગોવિંદ નામના, જન્મથી વૈદ્ય હોય તેવા એક રાજવૈદ્ય હતા. મહારાણાએ તેમને બોલાવી પડકારની ભાષામાં કહ્યું કે, તમારા સુશ્રુત, વાગ્ભટ્ટ અને ચરક જેવા વૈદ્યોના મહાગ્રંથના પાનાંમાંથી રાજા ભીમની વેદના શમાવે તેવા ઔષધો શોધી કાઢો. રાજા ભીમનો વ્યાધિ કોઈ પણ ઉપાયે મટવો જોઈએ. તમે તમારી ઔષધ-મંજૂષા લઈને પાટણ જાઓ, ત્યાં રહીને તેમનો ઉપચાર કરો. ઔષધોનું સંયોજન કરો અને મારા મિત્ર રાજા ભીમને સાજા-નરવા કરો તો તમારું વૈદકનું જ્ઞાન અને તે માટે વેઠેલો પરિશ્રમ લેખે લાગશે. તમે જલદી જાઓ.રાજવૈદ્ય બધી સામગ્રી લઈને રસાલા સાથે પાટણ પહોંચ્યા.
એમના પ્રવેશ સાથે જ પાટણ રાજ્યમાં એક આનંદ-લહર ફરી વળી. આશાના તોરણ બંધાયા. વૈદ્યની ખ્યાતિ વિખ્યાત હતી. ગોવિંદ વૈદ્ય આકૃતિથી પ્રભાવશાળી હતા અને પ્રકૃતિથી કુશળ હતા. સારા ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org