SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વને સહસ્ર કિરણોથી અજવાળતો સૂર્ય છે, તે વાત નક્કી છે; છતાં તેનો ઉજાસ કેમ જણાતો નથી ? એવું તે કેવું ગાઢ આવરણ તેની આડે વર્તે છે ! – આ મથામણ જ તેનું આવરણ છે. આ વિચાર વિરમે તો જ પેલું દેખાય ! આ પ્રશ્ન છે. આપણો દેહ તે પહેલું આવરણ છે. તેની દુર્ભેદ્ય દીવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે. તે પછી, આમ તો પાતળી કહેવાય એવી છતાં વજ્ર જેવી કઠિન એક આડશ છે; તેનું નામ છે મન. એના યે બે પડ છે ઃ એક જ્ઞાત મન અને બીજું અજ્ઞાત મન. : મનના આગળ-પાછળના પડને વીંધવા-ભેદવા, અરે ! એમાં બાકોરું પાડવાનું કામ થયું કે અજવાળાનું ધસમસતું પૂર ચિદાકાશમાં રેલાઈ ઊઠશે. પછી તેના પ્રકાશે આછું અંધારું યે નહીં રહે. આ દીવાલને ભેદવા, ઓળંગવા માટે જ આ મનુષ્યભવ મળ્યો છે. દુર્ગમ લાગતાં આ કામમાં સફળતા મેળવનારાઓનો સથવારો પણ મળી રહે તેમ છે. જેઓએ બાકોરું પાડ્યું, પછી બારી કરી અને છેવટે તો બારણું બનાવ્યું એવાઓની વાત પરથી, એમ તો લાગે છે કે ત્યાં જવાય તો છે જ ! હા, રસ્તો બધાનો અલગ-અલગ હોવાનો ! આ શે'રની પંક્તિઓ પણ કેવો સરસ રસ્તો ચીંધે છે ! આભમાં કે દરિયામાં, ક્યાંય પણ કેડી નથી; અર્થ એનો એ નથી કે, કોઈએ સફર ખેડી નથી. (કવિ રાજેશ વ્યાસ) આપણે પણ ‘યા હોમ’ કરીને ઝુકાવીએ. વિજયની વરમાળ રાહ જુએ છે. Jain Education International For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy