________________
૧૨
સુભાષિતમ્ સતી દ્રૌપદીને નિત્યક્રમ હતો કે માતા કુંતીને પ્રણામ કરવા. એ ક્રમ મુજબ એ પ્રણામ કરવા જાય છે. દ્રૌપદીજીએ કુંતામાતાના ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદની યાચના કરી. તો કુંતામાતાએ કહ્યું: भाग्यवंतं प्रसूतेथाः मा शूरं मा च पण्डितम्। शूराश्च कृतविद्याश्च रणे सीदन्ति मे सुता॥ અર્થ તું ભાગ્યવાનને જન્મ આપજે. શૂરવીર કે પંડિતને આપતી નહીં. જો ને ! શૂરવીર અને પંડિત એવા મારા દીકરા આજે યુદ્ધના મેદાનમાં પીડાઈ રહ્યા છે. જો ભાગ્યવાન હોય તો તેને આવી રણમેદાનની પીડા સહેવી ન પડે. શ્લોક જાણીતો છે પણ કુંતામાતાના આશીર્વાદ સ્વરૂપે જે વાત આવી છે તે મહત્ત્વની છે. શૂરવીરતા કે પંડિતાઈ ભલે બીજાને આંજી શકતા હોય પણ ભાગ્યશાળીની વાત જ નિરાળી છે. શૂરવીર અને પંડિત તો એ ભાગ્યશાળીના દ્વારે આવીને ઉભા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org