SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સુભાષિતમ્ સતી દ્રૌપદીને નિત્યક્રમ હતો કે માતા કુંતીને પ્રણામ કરવા. એ ક્રમ મુજબ એ પ્રણામ કરવા જાય છે. દ્રૌપદીજીએ કુંતામાતાના ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદની યાચના કરી. તો કુંતામાતાએ કહ્યું: भाग्यवंतं प्रसूतेथाः मा शूरं मा च पण्डितम्। शूराश्च कृतविद्याश्च रणे सीदन्ति मे सुता॥ અર્થ તું ભાગ્યવાનને જન્મ આપજે. શૂરવીર કે પંડિતને આપતી નહીં. જો ને ! શૂરવીર અને પંડિત એવા મારા દીકરા આજે યુદ્ધના મેદાનમાં પીડાઈ રહ્યા છે. જો ભાગ્યવાન હોય તો તેને આવી રણમેદાનની પીડા સહેવી ન પડે. શ્લોક જાણીતો છે પણ કુંતામાતાના આશીર્વાદ સ્વરૂપે જે વાત આવી છે તે મહત્ત્વની છે. શૂરવીરતા કે પંડિતાઈ ભલે બીજાને આંજી શકતા હોય પણ ભાગ્યશાળીની વાત જ નિરાળી છે. શૂરવીર અને પંડિત તો એ ભાગ્યશાળીના દ્વારે આવીને ઉભા રહે છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy