SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગ થયો. રોજ-રોજ એ વાણીનું સેવન કરવું ખૂબ ગમ્યું. એ વાણીની વિશેષતાઓને એમના વિશાળ મુનિવૃન્દ્રોમાં ઘણાં-ઘણાં મુનિવરો સાથે મળીને મેઘકુમાર વાગોળતા હતા. પ્રભુએ વર્ણવેલી સંસારની નિર્ગુણતાનું, નિઃસારતાનું વર્ણન મનમાં પડઘાતું હતું ઃ સંસારમાં ચાર ગતિમાં, ચોવીસે દંડકમાં ચોર્યાસી લાખ જીવાયોનિમાં અને ચૌદરાજલોકમાં જીવો કેવાકેવા પ્રકારે સંકલેશવાળા પરિણામથી કર્મ બાંધે છે; ભોગવે છે અને ધર્મના પ્રભાવે કેવી રીતે તે કર્મથી મુક્ત થાય છે... --આ બધું કાનમારગ થઈને હૈયા સોંસરવું ઊતરી ગયું. રંગરાગની દુનિયા હવે અકારી લાગી. માતાને વાત કરી. માતાનું મન બાળકને પટાવે તેવા શબ્દો કહે છે ઃ સંસાર તો સુખથી ભરેલો છે. સંયમ તો દુઃખની ખાણ છે. વળી તારા અને તારા સ્વજનોના સંબંધો તો મીઠાં મધુરાં છે. તારી એક-એક પત્ની તારા માટે પોતાનો જાન કુરબાન કરવા તત્પર છે. આવી સુખભરી છોળ છોડીને -તરછોડીને જવાનું શાને વિચારો છો? : કુમાર મેઘે પ્રભુવાણીનું અંજન કર્યું હતું તેથી તેમની નજરને હવે સમગ્ર સંસાર તેના વાસ્તવિક રૂપમાં દેખાવા લાગ્યો હતો. માતાને એક-એક મુદ્દાના સચોટ ઉત્તર આપ્યા : સંસાર સોહામણો લાગે છે તે તો કોલસા ઉપરનો વરખ છે ત્યાં સુધી જ. જેવો વરખ ખસ્યો પછી તેનું સ્વરૂપ કેવું લાગે છે ! સંયમ દુઃખ ભર્યો છે તે એક પૂર્વગ્રહ ભરેલી માન્યતા છે. સુખ અને દુઃખ સાપેક્ષ જ હોય છે. ઉપરથી દેખાતાં દુઃખની નીચે કેવું છલોછલ સુખ ભર્યું છે તે તો નજરનું દાન મળે પછી જ સમજાય. હે માતા ! તમે કહો છો કે સ્વજનોનો સ્નેહ છે. મને એ તો કહો કે આયુની દૃષ્ટિએ તમે પહેલા જશો કે મારે પહેલાં જવાનું થશે એ જ્ઞાન કોની પાસે છે ? એટલે એ સ્નેહ પણ કેટલો બટકણો પાંગળો અને પોકળ છે તે અનુભવવાનો વિષય નથી પણ બધી રીતે સમજાઈ ચૂકેલી બાબત છે. મનુષ્યભવના આ દેહની સાર્થકતા, સકળજીવોને અભયદાન આપવામાં છે એટલે મેં સંયમનો નિર્ધાર કર્યો છે. માતાને ખાત્રી થઈ કે વૈરાગ્ય છે અને તે જ્ઞાનગર્ભિત છે. ઠાલો ઊભરો નથી. માતાએ સંમતિ આપી. આમેય રાજપુત્રની દીક્ષા અનેકને બોધિની પ્રાપ્તિ કરાવનાર બને. આ તો, મગધસમ્રાટ શ્રેણિક રાજા, For Private & Personal Use Only Jain Education International ૧૦૧ www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy