SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ વ્યક્તિના જીવનમાં જેમ મહાન કાર્યોનો ફાળો તેને મહાન બનાવવામાં હોય છે, તેવો જ ફાળો તેના ઔચિત્ય-પાલનનો પણ હોય છે. તેમના જીવનમાં આપણા જીવનને સર્વ રીતે ઔચિત્ય પાઠમાળા આ ઔચિત્ય સાથે વિનય અને ભક્તિ પણ ભળે છે. આ ત્રણેય ગુણો એક બીજાના પૂરક છે; નજીક-નજીક છે. ક્યારેક એ વિનયના સ્વરૂપે હોય ત્યારે, તો ક્યારેક એ ભક્તિના સ્વરૂપે હોય ત્યારે પણ, તેમાં ઔચિત્ય તો હોય છે જ. નાનાં કામો પણ કેવી રીતે કરતા હોય છે કે તેનાથી તેઓ બે એ જ જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં એ જ શ્રી મલ્લિકુંવરીના મહાન બને છે – નામાંકિત બને છે. આ ઔચિત્ય-પાલનના પ્રેરક પરિબળો બે છે : એક પ્રેરક બળ છે અંતરંગ વિવેક અને બીજું પ્રેરક બળ છે -એવા ઉત્તમ પુરુષોનું આચરણ તેના જોવા-જાણવામાં આવ્યું હોય, તેનાથી એ શીખે છે; પોતાના જીવનને ઘડે છે. ભાઈ મલ્લકુંવરની, એવી જ એક વાત આવે છે. શ્રી કુંભરાજાએ એક વિશાળ ચિત્રશાળા બનાવરાવી હતી. એમાં ખ્યાતનામ ચિત્રકારો પાસે મોટા કદનાં, ભાતભાતનાં નયનાકર્ષક ઉત્તમ ચિત્રો બનાવરાવ્યાં હતાં. ચિત્રોના પાત્રો હુબહુ હતાં; જાણે કે હમણાં બોલી ઊઠશે ! આ ઔચિત્ય ગુણ વિષે થોડી વાતો આજે કરવી છે. આપણે ઔચિત્યનો બોધપાઠ વિવિધ દૃષ્ટાંતો દ્વારા મેળવવાનો છે. દરેક દૃષ્ટાંત પછી એમાંથી શો બોધ તારવવાનો છે કે શું શીખવાનું છે, એ લખવાનો ઉપક્રમ રાખ્યો નથી. વાચકોએ સ્વયં તારવણી ક૨વાની છે. એક શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં આવે છે કે આ અવસર્પિણીની ચોવીસીના ઓગણીસમા શ્રી મલ્લિનાથ ભગવાન એટલે કે મલ્લિકુંવરી દરરોજ પ્રાતઃકાળે પિતા શ્રી ૩૦૬ : પાઠશાળા સમૃદ્ધ કરતી Jain Education International કુંભનરેશ્વરને પ્રણામ કરતા હતા. જેઓ જન્મતાવેંત ઉત્તમોત્તમ માનવ તરીકે પ્રસ્થાપિત થયેલા છે, તે પણ આ વિનયપૂર્ણ ઔચિત્ય પાળતા હતા. આપણે પણ આ ઔચિત્ય અવશ્ય પાળવું જોઈએ. શરૂઆત ક્યાંથી કરીશું? રોજ પ્રાતઃકાળે માતા-પિતાને પ્રણામ કરવા તે વિનય છે તેમ તેમાં ઔચિત્ય પણ છે; માટે આપણે મલ્લિનાથ ભગવાનની વાત શરૂ કરી જ એ દૃષ્ટાંતથી શરૂઆત કરીએ. છે, તો તેની સાથે સંબંધ ધરાવતી હમણાંની જ એક વાતનો મણકો પણ પરોવીએ. એમાંથી પણ ઔચિત્યનો પાઠ શીખવા જેવો છે. ભોયણી તીર્થમાં મૂળનાયક શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૪૦ના મહા સુદિ દશમના દિવસે ભારે ઉલ્લાસભર્યા વાતાવરણમાં થઈ. પ્રતિષ્ઠા મલ્લકુંવર ધાવમાતા સાથે એ ચિત્રશાળા જોવા ગયા. બધું જોતાંજોતાં એ એક વિશાળ ચિત્ર પાસે અટક્યા. પદ્મસરોવરના આ ચિત્રને રસથી નિહાળવા લાગ્યા. એમાં જળક્રીડા કરી રહેલ નવયૌવનાના રૂપને ટગર ટગર જોઈ રહ્યા ! અચાનક જ બાજુના ચિત્ર પર નજર પડી અને તરત જ ત્યાંથી એ પાછા ફરી ગયા ! ધાવમાતાએ પૂછ્યું કે ચિત્ર તો તલ્લીનતાથી જોતા હતા અને એકાએક પાછા વળ્યા ? કુંવર કહે, મારા મોટા બહેન, ભલે ચિત્રમાં, પાસે ઊભા હોય અને મારાથી આવું શૃંગારસભર ચિત્ર આમ જોવું એ ઉચિત ન લાગ્યું, માટે ફરી ગયો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy