________________
૨મેશ કાર્ડ
સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ,
જ્યાં સોહે શાંતિદાતા, સોળમા જિન ત્રિભુવન ત્રાતા; | ગિરિ ભેટી પાવન થઈએ;
પોળે જાતાં, સૌ પહેલાં પ્રણામ છે. સોરઠદેશે, જાત્રાનું મોટું ધામ છે.
જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરીદે સુખશાતા; જ્યાં ધર્મશાળા બહુ સોહે,મહેલાતો મનડાં મોહે;
કવડજક્ષાદિ, દેવતા તમામ છે. એવું સુંદર, શ્રી પાલીતાણા ગામ છે.
જ્યાં આદિશ્વર બિરાજે, જેભવની ભાવઠ ભાંગે; જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે;
| પ્રભુજી પ્યારા, નિરાળા ને નિષ્કામ છે. જ પ્રભુના પગલાં પુનિત ને અભિરામ છે.
જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણઘર ગુણગામી; જ્યાં ગિરિ ચડતાં જ સમીપે, દેવાલય દિવ્ય જ દીપે;
A અંતરજામી, આતમના આરામ છે. બંગાળી બાબુનું, અવિચળ એ તો નામ છે.
માં જ્યાં રાયણ છાંયનિલુડી, પ્રભુ પગલાં પર પડે રૂડી; જ્યાં કુંડવિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે;
આદિ આવ્યું, એ તરુવર દિલારામ છે. પરબો રૂડી, પાણીની ઠામ ઠામ છે.
જ્યાં નિરખીને નવટુંકો, થાયે પાતિકનો ભુક્કો; જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચડાવે;
દિવ્યદહેરાં ના અલૌકિક કામ છે. એવી દેવી, હિંગલાજ જેનું નામ છે.
જ્યાં ગૃહી મુનિ લિંગે અનંતા, સિદ્ધ પદ પામ્યા સંતા; જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ છેલ્લે આવે;
- પંચમકાળે એ મુક્તિનો મુકામ છે. વિશ્રાંતોનું એ, વિસામાનું ઠામ છે.
જે ગિરિ ગુણ ભાવે ગાવે, તે લાભ અનંતો પાવે; જ્યાં નદી શેત્રુંજી વહે છે, સૂરજકુંડ શોભા દે છે;
જાત્રા કરવા મનસુખને મોટી હામ છે. ન્યાયો નહીં કે એ, જીવન બે જ બદામ છે.
રચયિતા : શિઘ્રકવિ મનસુખલાલ ડાયાભાઈ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org