SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૧૬ ૨ કવિ કહે છે કે મહાસતી ચંદનબાળા, મૃગાવતી અને સુભદ્રાદેવીએ જ જાણે પંચમકાળમાં અવતાર લીધો હોય એટલી માતા માણિકદેવીએ શાસનની પ્રભાવના કરી અને પોતાનો જન્મ સાર્થક કર્યો. સાધ્વી-સતીઓનાં ચરિત્ર આજ સુધી માત્ર શાસ્ત્રોમાં જ વાંચ્યાં હતાં, પણ કવિ પોતાને માણિકદેવીના દર્શનથી કૃતાર્થ માનતા હોય તેમ ઉલ્લાસથી ઉચ્ચારે છે કે – શાસ્ત્રમાંહી સુણતા હતા રે, સાધ સતીની વાત રે; પરતખ દેખી ખીસો રે, માણિકદેવી માત રે... આ રાસ પાર્જચંદ્ર ગચ્છના મુનિ નિહાલચંદજીએ, માણિકદેવીના સ્વર્ગવાસ સમયે અર્થાત્ ૧૭૯૮માં જ, મુર્શિદાબાદ મુકામે રચ્યો છે. રાસકારના પોતાના શબ્દોમાં કહીએ તો – પાસચંદ્ર ગચ્છ પરગડા રે, વાચક શ્રી હર્ષચંદ તાસ અનુજ જસ ઉચરે રે, નામ મુનિ નિહાલચંદ. સંવત સત્તરે અઠાણવે રે, પોષ કૃષ્ણપક્ષ સાર રે; તિથ તેરસ જસ જંપીયો રે, મગજુદાબાદ મઝાર રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy