SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે. ८० સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામનગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહો૨વા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ. સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy