SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ जो जाणे न मरिस्सामि, सो ह कंखे सुहेसिया। કે જેથી મૃત્યુની પરંપરા આપણો માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઈચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઈત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઇએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે કે “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?–પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ઉભટસાગરમાં કહેવાયું છે કેઃ करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ।। [હું ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં “હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ'-એ વાત માણસ ભૂલી જાય છે.]. અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્તો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગ્દર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ. મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છેઃ श्व: कार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઇએ અને બપોર www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy