SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया । રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. ‘વૈરાગ્યશતક'માં કહ્યું છેઃ सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ॥ [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા ? ] હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે ! ૫૫ मांधाता भरत: शीवो दशरथो लक्ष्मीधरो रावणः कर्ण: कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नताः । मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते, भग्नौ यो न महातरुर्द्विपवरैस्तं किं शशो भंक्ष्यति ।। [માંધાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધ૨, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૃગુપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?] મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોંશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઇને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઇને પોતાની જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy