SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। – ભગવાન મહાવીર [જ જાણે કે “હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઈચ્છી શક્] આ દુનિયામાં કોણ એવો છે કે જે એમ કહી શકે કે “હું ક્યારેય મરવાનો નથી ?' આપણી નજર સમક્ષ કેટલીયે વાર એવી ઘટના બને છે કે માણસ જીવતો-જાગતો, હરતો-ફરતો, બોલતો-ચાલતો હોય અને મૃત્યુ પામતાં તત્ક્ષણ એનો દેહ નિચેટ બની જાય છે. પછી તે હાલી ચાલી શકતો નથી, અરે એક આંગળી પણ તે ઊંચી કરી શકતો નથી. એના નિષ્માણ દેહને વધુ વખત રાખી શકાતો નથી. એની અંત્યેષ્ટિ ક્રિયા કરવી જ પડે છે. શબનો નિકાલ કર્યા વગર છૂટકો નથી. કાળચક્ર સતત ફરતું રહે છે અને યમરાજા પોતાની લીલા સર્વત્ર પ્રસરાવતા રહે છે. રોજ છાપામાં મરણ નોંધ વાંચીએ છીએ. કોઈ ગ્રામનગર એવું નથી કે જે એમ કહે કે અમારે ત્યાં ક્યારેય કોઈ મર્યું નથી. કોઈક કુટુંબમાં પચાસ-સાઠ વર્ષ સુધી કોઈનું અવસાન ન થયું હોય એમ બને, પણ કોઈ ક્યારેય મૃત્યુ પામ્યું નથી એમ તો ન જ કહી શકે. એટલા માટે તો ભગવાન બુદ્ધ કિસા ગૌતમીને કહ્યું હતું કે જે કુટુંબમાં ક્યારેય કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઈ આવે તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.” ભોળી કિસા ગીતમી ઘેર ઘેર એ માટે કરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે “મૃત્યુ તો દરેકનું આવે જ છે.” આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જગ્યું તે જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુઃખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy