SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કાયાથી વિશુદ્ધ પરિપાલન એમણે જીવનપર્યત કર્યું હતું. એટલા માટે તેઓ વિજાતીય સંપર્કથી દૂર રહેતા. તેઓ શિષ્યોને પણ એ રીતે સતત સલાહ આપતા રહેતા અને તેમની દેખરેખ રાખતા. એક વખત પાટણમાં પંચાસરા દેરાસર પાસે એક શિષ્ય એક મોટી ઉંમરનાં બહેન સાથે વાતો કરવા ઊભા રહ્યા. પૂ.મહારાજશ્રીએ એમને એ વિશે પૂછ્યું તો શિષ્ય કહ્યું કે “એ તો મારા સંસારી માતુશ્રી હતાં એટલે વાત કરવા ઊભો રહ્યો હતો.' પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, તારી વાત સાચી, પણ તું સંસારી માતુશ્રી સાથે વાત કરતો હતો એ ફક્ત તું જાણે અને માતુશ્રી જાણે. પરંતુ જતા આવતા લોકો તો એમ જ જાણે ને કે પ્રેમસૂરિના ચેલા રસ્તામાં સ્ત્રીઓ સાથે વાતો કરે છે. એટલે આપણે સાધુઓથી આવી રીતે રસ્તામાં વાત કરવા ઊભા રહેવાય નહિ.” કોઈ શિષ્યને એનાં સંસારી સગાસંબંધીઓ મળવા આવ્યાં હોય અને એમની સાથે વાતચીત કરવી હોય તો પૂ.મહારાજશ્રીની રજા લેવી પડતી. એમાં પણ તેઓ એકાંતમાં કોઈને મળવા દેતા નહિ. સ્થો સાથે અને તેમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે પોતાના ચેલાઓને પરિચય વધારવા દેતા નહિ. એક વખત પાલિતાણામાં પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પોતાનાં સંસારી બહેન સાથે વાત કરવા રસ્તામાં ઊભા રહ્યા, તો પૂ. મહારાજશ્રીએ એમના જેવા મુખ્ય મોટા શિષ્યને પણ ઠપકો આપ્યો હતો. પોતાના શિષ્યોની સંયમની આરાધના બરાબર દઢ રહે એ માટે ઉપાશ્રયમાં તેમના સૂવાની-સંથારો કરવાની પદ્ધતિ પણ પોતે અનોખી અપનાવેલી. બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો રખાવતા. વળી પોતે રાતના બાર વાગે અને બે ત્રણ વાગે જાગીને બધાના સંથારા જોઈ આવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy