SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પૂ. આચાર્ય મહારાજ વિશે સંસ્મરણ લેખો કે છૂટક સ્મરણો એમના ઘણા શિષ્યોએ લખ્યાં છે અને પોતાના આ ગુરુ મહારાજની વાત નીકળતાં ગદગદિત થઈ જાય છે. પૂ. શ્રી વીરરત્નવિજયજી મહારાજે સંભારણાં સૂરિ પ્રેમનાં'ના નામથી દળદાર સ્મૃતિગ્રંથ પ્રગટ કર્યો છે જેમાં પૂ. મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજીનું સવિસ્તર જીવનચરિત્ર છે અને અનેક મહાત્માઓ અને ગૃહસ્થોએ આપેલી શ્રદ્ધાંજલિ છે. તદુપરાંત પૂ. શ્રી જગન્ચંદ્ર વિજયજી મહારાજે પદ્યમાં “ગુરુગુણ અમૃતવેલી રાસ” નામની રાસકૃતિ લખી જે વિવેચનસહિત પ્રકાશિત થયેલી છે. આ બંને ગ્રંથો વાંચતાં પૂ. મહારાજશ્રીના ઉજ્જવળ જીવન અને સંગીન શાસનકાર્યનો સરસ પરિચય થાય છે. ગુરુ ભગવંત હોય તો આવા હોવા જોઇએ એવી એક હૃદયંગમ છાપ ચિત્તમાં અંકિત થાય છે. પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે “પ્રેમમધુરી વાણી તારી” નામના લેખમાં પૂ. મહારાજશ્રીના હૃદયમાંથી સમયે સમયે નીકળેલા ઉગારો ટપકાવી લીધા છે. પૂ. શ્રી ત્રિલોચનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીના અઢાર મુખ્ય ગુણોની છણાવટ કરીને એના પ્રેરક પ્રસંગો ટાંક્યા છે. પૂજ્ય મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૪ની અડધી રાતે (એટલે પૂનમની વહેલી સવારે) એમના મોસાળમાં રાજસ્થાનમાં નાદિયા ગામમાં થયો હતો. એમનાં માતાનું નામ કંકુબાઈ અને પિતાનું નામ ભગવાનજીભાઈ હતું. ભગવાનજીભાઇનું વતન પિંડવાડા. બાળકને લઇને માતા પિંડવાડા આવ્યાં. ફોઇએ બાળકનું નામ પ્રેમચંદ પાડ્યું. પ્રેમચંદ સાતેક વરસના થયા ત્યાં સુધી પિંડવાડામાં એમનો ઉછેર થયો. પરંતુ ત્યાર પછી એમના પિતાશ્રી વ્યવસાય અર્થે ગુજરાતના સૂરત જિલ્લામાં વ્યારા ગામે આવ્યા. એ દિવસોમાં કેટલાયે રાજસ્થાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy