SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ-ખંડગિરિ એમની પહેલાં કે એમની પછી કલિંગના રાજ્યમાં થયો નહોતો. શિલાલેખ પરથી જણાય છે કે એ કાળે નંદરાજાના નામથી સંવત ચાલતો હતો. (વિક્રમ સંવતની શરૂઆત ત્યાર પછી થઈ.) નંદ સંવત ૧૦૩ના વર્ષે મહારાજા ખારવેલે મગધમાં ખોદાયેલી નહેર પોતાના રાજ્યમાં ‘તનસુલીય' નામના માર્ગે વધુ ખોદાવીને પોતાની રાજધાનીમાં લાવ્યા હતા, એવો નિર્દેશ શિલાલેખમાં છે. આ શિલાલેખ બીજી એક ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનો છે. જો એ ઘટનાનો ઉલ્લેખ આ શિલાલેખમાં ન કોતરાયો હોત તો કદાચ એવી મહત્ત્વની ઘટના વિસ્મૃતિના ગર્તમાં કાયમને માટે ધકેલાઈ ગઈ હોત. છેલ્લા એક-સવા સૈકાથી એ ઘટના પ્રકાશમાં આવી છે તો પણ હજુ કેટલાયે એવા વિદ્વાનો હશે કે જેમને એ વિશે કશી માહિતી ન હોય. આપણાં આગમો શ્રુત પરંપરાથી ચાલ્યાં આવતાં હતાં. શ્રુતપરંપરામાં સમયે સમયે અક્ષ૨ફે૨, શબ્દફેર, અર્થફેર થવાનો સંભવ રહે છે. ત્રણચાર પેઢીમાં કેટલુંક લુપ્ત થઈ જાય છે. એટલા માટે સમર્થ જાણકાર આચાર્યો અને અન્ય સાધુ-સાધ્વીઓ એકત્ર થઇને પાઠનિર્ણય કરી લે છે. એને ‘વાચના' કહેવામાં આવે છે. શ્રુતપરંપરાથી ચાલ્યા આવતાં આપણા આગમો માટે ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૬૦ વર્ષે પાટલીપુત્રમાં એક વાચના આચાર્ય શ્રી સ્થૂલિભદ્રસૂરીશ્વરની નિશ્રામાં યોજવામાં આવી હતી. ત્યાર પછી બીજી વાચના મથુરામાં આર્ય સ્કંદિલાચાર્યની નિશ્રામાં યોજવામાં આવી હતી. પરંતુ આ બે વાચનાની વચ્ચે ચક્રવર્તી ખારવેલના નિમંત્રણથી એક નાની વાચના કલિંગના કુમારગિરિ ઉપર યોજવામાં આવી હતી એવો ઉલ્લેખ આ શિલાલેખની સોળમી પંક્તિમાં છે. આ વાચનાસભામાં પધારવા માટે મહારાજા ખારવેલે દૂર દૂર સુધી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy