SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છેલ્લા દિવસોમાં વિદેશમાં અભ્યાસ કરતી કુ. ક્ષિતિજા પણ માતાની માંદગીના સમાચાર જાણીને ભારત આવી ગઈ હતી. તનસુખભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો. તનસુખભાઈની દીકરી કુ. ક્ષિતિજાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યારપછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં માતાપિતા એ જ મારા ગુરુ હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જીવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નહિ, આત્મશ્લાઘા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પક્ષમાં જોડાવું નહિ અને પોતાના અંતરાત્માને અનુસરવું.” મુંબઇની સિદ્ધાર્થ કોલેજ એટલે મરાઠી બહુમતીવાળી કૉલેજ. એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજ્યના વિભાજન માટેની અને “આમચી મુંબઈ માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણ શાન્ત થઈ ગયું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂંક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગે ગુજરાતી વિભાગ તરફથી યોજાતા અધ્યાપક મિલનમાં અમે તનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org -
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy