SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનાં બે નાનાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. ૧૯૭૭માં “અતીતના અનુસંધાનમાં' પ્રકાશિત થયેલું. એમાં સુંદર રેખાચિત્રો છે. ૧૯૮૧માં “આશ્રમના આંગણ'માં પ્રકાશિત થયેલું, એમાં સાબરમતી આશ્રમમાં પોતે રહેલા એ સમયનાં સંસ્મરણો છે. ત્યાર પછી “દાંડીયાત્રાખંડકાવ્ય અને ગાંધીજીના જીવન વિશે મહાકાવ્ય “મહાત્માયન” પ્રગટ થયું હતું. આ મહાકાવ્યની જેટલી નોંધ ગુજરાતમાં લેવાવી જોઇએ તેટલી લેવાઈ નથી. સમાજસેવા એ તનસુખભાઈની એક મનગમતી પ્રવૃત્તિ હતી. અમદાવાદમાં હતા ત્યારે તેઓ સમાજસેવાના કાર્યમાં ઘણા સક્રિય રહેતા. તેમણે અમદાવાદની “જ્યોતિસંઘ' નામની સંસ્થામાં ગુલઝારીલાલ નંદા સાથે કેટલોક વખત કામ કર્યું હતું. મુંબઈ આવ્યા પછી તેઓ કેન્સર માટેની એક સામાજિક સંસ્થામાં પોતાનો સમય આપતા.). તનસુખભાઇનું નામ મેં સૌથી પહેલું સાંભળ્યું હતું ૧૯૪૪માં. મેટ્રિક પાસ કરીને હું કોલેજમાં દાખલ થયો ત્યારે મુંબઈ ભણવા આવેલા અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન. વિદ્યાવિહારના કેટલાક સહાધ્યાયી મિત્રો પોતાના શિક્ષક તનસુખભાઇ ભટ્ટની બહુ પ્રશંસા કરતા. ત્યારે યુવાન તનસુખભાઈ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. તેઓ ઘણા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને શાળા છોડી જાય તે પછી પણ તેઓની સાથે પત્રવ્યવહારથી સંપર્ક રાખતા. એ જમાનામાં અમદાવાદના શિક્ષકોમાં તનસુખભાઇનું નામ મોટું હતું. સી.એન.માં ભણાવતાં ભણાવતાં જ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી અને તેજસ્વી શિક્ષક હતા. ત્યાર પછી મારે તનસુખભાઇનો અંગત સંપર્ક થયો ૧૯૪૯૫૦માં. ત્યારે હું એમ.એ.માં અભ્યાસ ગુજરાતી વિષય લઇને કરતો હતો. તેઓ અમદાવાદ છોડી મુંબઇની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy