SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સવ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨ ૧ હતી. તેઓ આધુનિક વિચારધારાના હતા. એમણે પોતાના એક દીકરાનું નામ બંગાળી રાખ્યું હતું-તારાનાથ. એમણે તનસુખભાઇને થોડો વખત કાશી મોકલ્યા હતા, સંસ્કૃત ભાષા ભણવાને માટે. નવ-દસ વર્ષની ઉંમરે તનસુખભાઈ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ પણ ત્યારે ત્યાં શિક્ષક તરીકે કામ કરતા હતા. હરિહર ભટ્ટ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ “એક જ દે ચિનગારી, મહાનલ', એ કાવ્યથી જાણીતા થયા હતા. ૧૯૨૫ પછી તનસુખભાઇએ દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધું હતું. ત્યાં તેમની કવિત્વશક્તિ ખીલી હતી. ત્યાં કવિ શ્રીધરાણી એમના સમકાલીન મિત્ર હતા. પોતાના કાવ્યસર્જન વિશે તનસુખભાઇએ પોતાના કાવ્યસંગ્રહ “કાવ્યલહરી'ના નિવેદનમાં લખ્યું છેઃ “સત્યાગ્રહ આશ્રમમાં શ્રી નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે તથા સ્વ. ચંદ્રશંકરભાઈ શુકલના વર્ગોમાં જ કવિતા વિશે અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. તે દક્ષિણામૂર્તિમાં કાવ્યલેખનમાં પરિણમી.” “કવિતાલેખનના સૂક્ષ્મ સંસ્કારો મારામાં સુષુપ્ત દશામાં પડ્યા હશે. દક્ષિણામૂર્તિ ભવનના કાવ્યોત્તેજક વાતાવરણમાં તે ખીલી નીકળ્યા. સંસ્કાર જેટલું જ મહત્ત્વ વાતાવરણને પણ અપાય છે, એ દૃષ્ટિએ જોતાં મારા સુષુપ્ત સંસ્કારોને આવિર્ભાવ આપીને કાવ્યલેખન કરવાની પ્રેરણાનો સકલ યશ દક્ષિણામૂર્તિ ભવનને જ ઘટે છે.' તનસુખભાઇએ આરંભમાં કેટલુંક લેખનકાર્ય “યાત્રીના ઉપનામથી અને કેટલુંક “સુરેન્દ્ર ભટ્ટાચાર્ય'ના નામથી કર્યું હતું. જો કે પછીના સમયમાં તેઓ પોતાના નામથી જ લખતા રહ્યા હતા. તેમનાં કાવ્યો તે જમાનામાં “કુમાર” અને “પ્રસ્થાન'માં પ્રગટ થતાં. મુક્તકનો કાવ્ય- પ્રકાર એમને વધુ પ્રિય હતો. દૂહા ઉપર એમનું પ્રભુત્વ સવિશેષ હતું. સંસ્કૃત ભાષણ ઉપરના પ્રભુત્વને લીધે એમની Jain Education International FST Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy