SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ થઈ નહિ. એમણે ગુંદી આશ્રમમાં લેખિત સંદેશો મોકલાવ્યો કે કોઈએ આવી અશિષ્ટ પત્રિકા માટે ઉશ્કેરાવું નહિ. એમના હ્રદયમાં માત્ર આજીવિકા ખાતર પત્રિકા વેચનાર ફેરિયા પ્રત્યે અનુકંપા જ હતી. ૧૦૪ મહારાજશ્રીએ લોકકલ્યાણનું ઘણું કાર્ય કર્યું. એમની પ્રેરણાથી સાણંદ, શિયાળ, ગુંદી, મુંબઈ, અમદાવાદ, રાણપુર, રામપુરા–ભંકોડા, ઇન્દોર વગેરે સ્થળે પ્રાયોગિક સંઘ, માતૃસમાજ ઉદ્યોગગૃહ, ઔષધાલય, છાત્રાલય, ખેડૂતમંડળ વગેરે વીસ જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી તેમાંની કેટલીક આજે પણ કાર્યરત છે. મહારાજશ્રીના એક મુખ્ય અંતેવાસી તે શ્રી મણિભાઈ પટેલ. તેઓ મિયાંગામ-કરજણના વેપારી હતા. ઈ.સ. ૧૯૪૩માં મહારાજશ્રીનું પ્રવચન એમણે કરજણમાં સાંભળ્યું. એથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે પછીથી તેઓ મહારાજશ્રી જ્યાં હોય ત્યાં એમનાં પ્રવચનો સાંભળવા જતા. સાણંદના ચાતુર્માસથી તેઓ માતાપિતાની રજા લઈ, આજીવન બ્રહ્મચારી તરીકે મહારાજશ્રી સાથે જોડાઈ ગયા અને વિહારમાં પણ તેમની સાથે જ રહ્યા. તેઓ મહારાજશ્રીના વિહાર, મુકામ, વ્યાખ્યાન, વિચાર-ગોષ્ઠી વગેરેની રોજેરોજની નોંધ રાખવા લાગ્યા. એમણે લખેલી એ રોજનિશિ ‘સાધુતાની પગદંડી'ના નામથી છ ભાગમાં પ્રકાશિત થઈ છે. સ્વ. શ્રી મણિભાઈ સંતબાલજી સાથે ઈ.સ. ૧૯૪૪માં જોડાયા તે પછી મહારાજશ્રીના કાળધર્મના સમય સુધી સાથે જ રહ્યા હતા. એમણે મહારાજશ્રી સાથે સતત ૨૬ ચાતુર્માસ ગાળ્યાં. એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ એમ ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો. એમણે લગભગ સાડા ત્રણ હજાર ગામોનો સંપર્ક થયો અને આશરે તેર હજાર માઈલનો વિહાર કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy