SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૩ ગોઠવાતાં, કારણ કે ભીડ ઘણી રહેતી. આ સમય દરમિયાન કેટલાક શ્રેષ્ઠિઓ અજમેરમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું અખિલ ભારતીય અધિવેશન યોજવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમાં શ્રી નાનચંદ્રજી મહારાજ અને એમના યુવાન શિષ્ય શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. કચ્છથી વિહાર કરી તેઓ આબુ થઈને રાજસ્થાનમાં આવ્યા. આબુના પહાડમાં તેઓ સુપ્રસિદ્ધ શ્રી શાન્તિસૂરિને મળ્યા. અને તેમની લઘુતાથી, વિનયથી, નિર્દોષ હાસ્યથી અને સાધનાથી બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીના મુખમાંથી પંક્તિઓ સરી પડીઃ એક યોગી વસે છે અલબેલો, આબુના પહાડમાં; જ્ઞાન-ધ્યાન રસે રસઘેલો, આબુના પહાડમાં. અજમેરમાં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ વગેરે પધાર્યા હતાં. કવિ નાનાલાલ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી વગેરે પણ પધાર્યા હતા. તે વખતે સ્થાનકવાસીઓમાં શ્રી જવાહરલાલજીનો અને શ્રી મુન્નાલાલજીનો એમ બે પક્ષ પડી ગયા હતા. પરંતુ કંઈ સમાધાન થયું નહિ. આ સંમેલનમાં સૌભાગ્યચંદ્ર મુનિએ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા અને એમને “ભારતરત્ન'નું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આગ્રાના શ્રેષ્ઠીઓએ ગુરુદેવને હવે પછીનું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું એટલે સંમેલન પછી તેઓ આગ્રા પહોંચ્યા. અહીં પણ ગુરુદેવનાં પ્રવચનો અને મહારાજશ્રીના અવધાનના પ્રયોગો નોંધપાત્ર રહ્યાં હતાં. આગ્રાથી વિહાર કરી ગુરુદેવ પોતાના મુનિવરો સાથે વિહાર કરતા કરતા, રણથંભોર, હમીરગઢ, ઉજ્જૈન, ઇંદોર, રતલામ, ભોયણીજી વગેરે સ્થળે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ લાંબા વિહારમાં દેશદર્શનનો, અને હિંદુ, Jain Education International For Private & Personal Use Only For Private & F www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy