SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે. સામાયિક વિશે પણ એક પુસ્તિકા લખી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીએ ત્યાર પછી સ્વહસ્તે લેખનકાર્ય ઓછું કર્યું છે. જેમ જેમ સમુદાયની જવાબદારી વધતી ગઈ અને પોતાની અંતરંગ સાધના ચાલતી ગઈ તેમ તેમ સ્વહસ્તે લખવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેમના શિષ્યોએ એમની વાણી શબ્દબદ્ધ કરી લીધી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનાં વ્યાખ્યાનો એટલે અમૃતની ધારા. સાંભળતાં ધરાઈએ નહિ. એમાં શાસ્ત્રની વાતો આવે અને સ્વાનુભવની વાતો પણ આવે. અનેક શ્લોકો, ગાથાઓ, સ્તવનોની કડીઓ વગેરેના સંદર્ભો આવે. એ બધું એમને કંઠસ્થ હતું. પ્રત્યેક વિષયની છણાવટ વિવિધ દૃષ્ટિકોણથી તેઓ કરતા. એમનાં આવાં વ્યાખ્યાનોની નોંધ ગણિશ્રી મુક્તિચંદ્રવિજય અને ગણિશ્રી મુનિચંદ્રવિજય ઉતારી લેતા. એવાં વ્યાખ્યાનો કહે કલાપૂર્ણસૂરિ', “કહ્યું કલાપૂર્ણસૂરિએ” ઇત્યાદિ પાંચેક દળદાર ગ્રંથરૂપે પ્રકાશિત થયાં છે, જે તત્ત્વજિજ્ઞાસુ માટે અત્યંત ઉપયોગી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનું સમગ્ર જીવન એટલે પ્રભુભક્તિમય સાધકનું ઉત્કૃષ્ટ જીવન. તેમનું જીવન એટલે વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ યોગોનો સમન્વય. તેઓ મંદિરમાં હોય ત્યારે ભક્તિયોગ, વ્યાખ્યાન આપતા હોય, વાચના આપતા હોય, સ્વાધ્યાય કરતા કે કરાવતા હોય ત્યારે જ્ઞાનયોગ, પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરતા હોય ત્યારે કર્મયોગ અને રાત્રે એકાંતમાં બેસી ધ્યાન ધરતા હોય ત્યારે એમનો ધ્યાનયોગ ચાલતો હોય. આમ તેમનું જીવન એક બહુશ્રુત અધ્યાત્મયોગીનું હતું. - એમના કાળધર્મથી આપણને એક વિરલ મહાત્માની ખોટ પડી છે. એમના ભવ્યાત્માને નતમસ્તકે ભાવપૂર્વક અંજલિ અર્પીએ છીએ. સ્વ. ૫.પૂ શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૬૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy